________________
૫૧૨
ગીતા દર્શન
૧૪
પ્રાણ-અપાનથી યુકત, રહેલો પ્રાણીદેહમાં; ચાર પ્રકારનાં અન્ન, પચાવું જઠરાગ્નિ થૈ. હું સર્વના અંતરમાં વસેલો, હુંથી સ્મૃતિ જ્ઞાન અને અપોહ; છું સર્વ વેદો થકી હું જ વૈદ્ય, વેદાંતકર્તા હું જ વેદજ્ઞાતા. ૧૫
હે અર્જુન !
સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશિત કરે છે, અને જે તેજ ચંદ્રમાં છે, તેમ જ જે તેજ અગ્નિમાં છે, તે તેજ મારું જાણ.
પૃથ્વીમાં પેસીને હું ઓજસ વડે ભૂતોને ધારણ કરું છું અને રસાત્મક સોમ થઈને બધી ઔષધિને પોણું છું.
પ્રાણીઓના દેહના આશ્રયે રહેલો હું જઠરાગ્નિ થઈને પ્રાણ તથા અપાન વાયુથી યુકત થઈને ચાર (ભક્ષ્ય, ચોષ્ટ, લેહ્ય અને પેય એમ ચાર) પ્રકારનાં અન્ન પકાવું છું. (ઝાઝું શું કહું, પ્યારા કૌતેય !) હું સહુના અંતરમાં વસેલો છું, મારા થકી જ જ્ઞાન, સ્મૃતિ અને અપોહન (વિચારદ્વારા બુદ્ધિમાં રહેલા સંશયાદિ દોષોને દૂર કરનાર એટલે કે તર્કલય) ભાસે છે. બધા વેદોથી જાણવા યોગ્ય તે હું જ, વેદાંતનો કર્તા પણ હું જ, અને વેદોનો જાણનાર પણ હું જ છું.
નોંધ : "સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે તેજ છે તે મારું છે,” એ જાતની વાત તો સાતમા અઘ્યાયમાં કહેવાઈ જ છે. પરંતુ અહીં એક રહસ્યની ઘટના સાથે એનો સંબંધ છે, તે એ કે પૃથ્વી અને સૂર્ય બન્નેનો સંબંધ છે. "સૂર્ય આત્મા જગત સ્ત શુષૠ” એમ શ્રુતિ બોલે છે. અર્જુનના પૃથામાતાને સૂર્યનો સંયોગ થયો, એમાં પણ આવું રૂપક હોવાનો સંભવ છે,
"અહીં સૂર્યરૂપે 'ગો'માં ('ગો'ના અર્થ ઘણા છે. અહીં ઈન્દ્રિય અગર પૃથ્વી બેમાંથી એક લઈ શકાય) પ્રવેશીને હું ઓજસ (ઓજસનો અર્થ શકિત અને વીર્યશક્તિ બન્ને છે) થી ભૂતોને ધારણ કરું છું. એટલે પૃથ્વીમાં પેસીને ભૂતોનો ભાર વહનાર પણ કહેવાય અને ઈન્દ્રિયોમાં પેસીને વીર્યશકિતથી પ્રાણીસર્જક પણ કહેવાય. અને રસાત્મક સોમ(સોમના અર્થ બે છે: (૧) ચંદ્ર, (૨) સોમ નામની રસવલ્લી. પરંતુ અહીં તો ચંદ્ર અર્થ જ યોગ્ય છે. ઔષધિનાથ તરીકે ચંદ્ર પ્રસિદ્ધ છે જ તે) થઈને હું ઔષધિને પોપું છું.” આમ જોતાં ઔષધિને પોષી એટલે ઔષિધ (ઔષધિના બે અર્થ વનસ્પતિ અથવા ઓસડ. એ પરથી એ ભાવ નીકળે કે