________________
અધ્યાય પંદરમો
૫૧૧
છૂટે તો સંસાર છૂટી જાય એ અગાઉની વાતને ટેકો આપે છે. એ વિષે હવે વધુ કહેવાપણું રહેતું નથી.
વળી જ્ઞાનચક્ષુ વિના આ વસ્તુનો સાક્ષાત્કાર થતો નથી, એમ કહી શ્રીકૃષ્ણગુરુદેવ વિચાર વિનાના મલિન જીવોનો પ્રયત્ન ક્ષાર ઉપર લીંપણ જેવો બતાવે છે. "જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી એ અક્ષરશઃ ખરું છે. પણ આથી સાધક સાધના ન તજે, પણ સભાનપૂર્વક, વિચારપૂર્વક વિશુદ્ધિ સાથે સાધના કરે જ. અને પુસ્તકિયા જ્ઞાનવાળો ફુલાઈન જાય, પણ પોતાનું જ્ઞાન સાચું છે કે કેમ, તે પોતાના જાગૃતિપૂર્વકના સાધનાયત્નથી સિદ્ધ કરી દેખાડે !
આમ બન્નેને સાવચેતી આપવાનો હેતુ જ ઉપરના દશમા અને અગિયારમાં શ્લોકમાં દેખાય છે. હવે આત્મજ્ઞાનની સાથે વળી જેમ સાતમા અધ્યાયમાં જગત વિજ્ઞાન શરૂ કરેલું અને ઉત્તરોત્તર દશમા લગી તો ખાસ કહેવાતું આવેલું તે અહીં પણ ફરી રજૂ કરે છે. તેમાંય ખાસ તો સૂર્ય, ચંદ્ર અને અગ્નિ જેને પ્રકાશ નથી આપી શકતા તે પરંધામ મારું છે, એમ આ અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં કહેલું. તો હવે સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં કોનું તે જ છે, તે પણ કહી દે છે.
यदादित्यगतं तेजो जगद् भासयतेऽखिलम् । यच्चंद्रमसि यच्चाग्नौ तत्तैज्ञो विद्धि मामकम् ।।१२।। गामाविश्य च भूतानि धारयाम्यहमोजस । पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ।।१३।। अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः । प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ।।१४।। सर्वस्य चाहं हृदि सन्निविष्टो ।
मत्तः स्मृतिनिमपोहनं च । वैदैश्व सवरहमेव वेद्यो
__ वेदान्तकृद्वेदविदेव चाहम् ||१५|| ભાનુમાં જે રહ્યું તેજ, વિશ્વ આખું ઉજાળતું; અને જે ચંદ્ર-અગ્નિમાં, તે મારું તેજ જાણતું. ૧૨ પૃથ્વીમાં પેસી ભૂતોને ધારું ઓજસથી ય હું; રસાત્મક થઈ સોમ, પોષે છું ઔષધિ બધી. ૧૩