________________
અધ્યાય પંદરમો
૫૦૯
શ્રી કૃષ્ણગુરુની ઈચ્છા અર્જુનને પોતા ભણી જ વાળવાની છે, એટલે ફરીને યાદ આપે છે, કે ઉપર જે અપુનરાવૃત્તિવાળું પદ કહ્યું, તે મારું જ ધામ છે.
હવે અર્જુને સવાલ કર્યો કે, જો તેમ જ હોય તો તમારો અને આ શરીરધારી જીવનો સંબંધ શો? કારણ કે તમારું ધામ ઊંચે અને ઉચ્ચ કોટિનું છે. જ્યારે જીવ તો આજે સંસારની અધોગતિમાં પડેલો પ્રાણી છે, તો તે તેટલે ઊંચે કઈ રીતે જઈ શકે? વળી તેનો તે જ જીવ દેશ છોડતી વખતે જો શાખાના દ્રષ્ટાંતે, કર્મદ્વારા અને વિષયારા ઊંચનીચે ફેલાય છે, ત્યારે બીજી યોનિમાં જાય છે, તો તે કેવા પ્રકારે અને શાથી? આ બે સવાલનો ઉત્તર આપતાં શ્રી કૃષ્ણચંદ્ર કહે છે:
ममैवांशो जीवलोके जीवमृतः सनातनः । मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ||७|| शरीरं यदवाप्नोति यच्चाप्युत्कामतीश्वरः । गृहीत्वैतानि संयाति वार्युगन्धानिवाशयात् ||८|| श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च । अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते अत्क्रामंतं स्थितं वापि भुआनं वा गुणान्वितम् । विमूढा नानु पश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१०॥ यतन्तो योगिनश्चैवं पश्यन्त्याऽऽत्मन्यवस्थितम् । यतन्तोऽप्यकृताऽऽत्मानो नैनं पश्यन्त्यचेतसः ||११|| શાશ્વત અંશ મારો જ, જીવલોકે કહ્યો જીવ ખેંચે પ્રકૃતિ માંહેલાં મન ને પાંચ ઈન્દ્રિયો. ૭ પામતાં છોડતાં દેહ, ઈશ્વર એમને પ્રથી; ગંધ સ્થાન થકી ગંધ, વાયુ જેમ લઈ જતો. ૮ ત્વચા જીભ તથા નાક, ચક્ષુ, કાન વળી મન; એ છ એને જ આધારે, વિષયો ભોગવે વળી. ૯ દેહે રે'તા જતા કિંવા, ભોગવતા ગુણયુકત એ; જીવને મૂઢ ના પેખે, પેખે છે જ્ઞાનદર્શીઓ. ૧૦