________________
ગીતા દર્શન
કૂંપળવાળી તે (અશ્વત્થવૃક્ષ)ની ડાળીઓ ઊંચે અને નીચે ફેલાયેલી છે. કર્મોનાં બંધન કરનારાં તેનાં મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાય છે.
૫૦૬
છતાં હે ભારત ! અહીં તે વૃક્ષોનાં આદિ, પાયો કે અંત મળતાં નથી. એવા ઊંડા મૂળિયાંવાળા એ અશ્વત્થ વૃક્ષને દ્દઢ-અસંગ શસ્ત્ર વડે છેદીને -
"તે આદ્યપુરુષને હું મેળવું કે જે થકી પુરાતન પ્રવૃત્તિનો પ્રસાર થયો છે” (એવો દઢ સંકલ્પ કરીને) તે પદ શોધવું કે જે પદને પામેલા ફરીને પાછા ફરતા નથી.
નોંધ : "અશ્વત્થ' એટલે પીપળો અથવા વડ એવો અર્થ કેટલાક ટીકાકારોએ લીધો છે. અને વેદાંત ટીકાકારોએ વ્યુત્પત્તિ પરથી કાલે જે ન દેખાય, તેવો ક્ષણજીવી સંસાર એ અર્થ લીધો છે. જૈન ગ્રંથકારોએ પણ વૃક્ષની ઉપમા સંસારને આપીને મધુબિંદુની લાલચમાં લટકી રહેલા મનુષ્યનું ચિત્ર દોર્યુ છે.
ઊંચે મૂળ અને નીચે શાખાનો અર્થ એ કે ચૌદમા અઘ્યાયમાં કહેવાયેલું મહત્ બ્રહ્મ એ સંસારનું મૂળ છે અને તે ઊંચે છે-ઉચ્ચ કોટિનું તે તત્ત્વ છે. સંસારના તત્ત્વો એની શાખારૂપ છે. તે નીચે છે, અને તે નીચ કોટિનાં તત્ત્વો છે. જૈનપરિભાષામાં જીવને હળવો અને સંસારને ભારી કહ્યો છે, પણ આત્માનું મૂળ સ્વરૂપ તો નથી હળવું કે નથી ભારે ! એટલે કે તે અગુરુ-લઘુ ગણાય છે. જેમ આત્મા અનાદિ અનંત છે, તેમ સંસારવૃક્ષ પણ અનાદિ અનંત છે.
ગુરુદેવે ફરીને બીજા શ્લોકમાં વળી બીજા પ્રકારે વાત કરી છે. લો. તિલક કહે છે કે, "સાંખ્ય અને વેદાંત બન્ને પ્રકારનાં (ઉપનિષદમાં આવતાં)વર્ણનનો સુમેળ સાધવાનો ગીતાકારનો આ શુભ પ્રયત્ન છે.” આપણે એ અભિપ્રાયમાં સંમત છીએ, છતાંય એ બે શ્લોકનું જુદું રહસ્ય પણ આપણે તારવી શકીએ છીએ. તે એ કે "નીચે ગયેલી શાખાઓ સત્ત્વગુણથી વૃદ્ધિ પામે છે, ત્યારે ઊંચે એટલે કે દેવગતિમાં ફેલાય છે. અને રજોગુણથી વૃદ્ધિ પામે છે, તેમજ વિષયરૂપી કૂંપળો તેમાંથી ફૂટે છે ત્યારે તે કર્માનુબંધવાળી બનીને મઘ્યમ સ્થળ એટલે પ્રાયઃ મનુષ્યલોકમાં ફેલાય છે. મનુષ્યલોકમાં કર્માનુબંધ સ્વતંત્ર હોઈ-મોક્ષયોગ્યતા છે. પણ તમોગુણથી વૃદ્ધિ પામે છે, ત્યારે અધોલોકમાં પણ ફેલાવ પામે છે.” મતલબ કે મહત્ત્રહ જે ઊંચું તત્ત્વ હતું તે પણ તેની (જીવ) સાથે નીચે જાય છે. એટલે એમ આ સંસારવૃક્ એવું વિચિત્ર બની રહે છે. ગુરુદેવે પણ એ આશયે જ આગળ વધતાં કહ્યું :
"એનું ખરું સ્વરૂપ આ સ્થૂળ આંખે કે આ સંસારદ્દષ્ટિએ શોધી શકાતું નથયું. એનો અંત, આદિ કે આધારસ્થળ પણ આ રીતે પામી શકાતાં નથી. માટે એ ઊડઃ યેલાં