________________
અધ્યાય ચૌદમો
૫૦૧
જૈનસૂત્ર શ્રીઉત્તરાધ્યયન'નું બત્રીસમું અધ્યયન પણ બીજા શબ્દોમાં આ જ વાત કહે છે. તેમના શબ્દો આ છે. "વિષયો રાગ અને દ્વેષના હેતુરૂપ ભલે રહ્યા! પરંતુ જેઓ ખરી નિર્લેપતા સાધે છે, તેઓ રાગ-દ્વેષરૂપી સંસારના મૂળ કારણથી પરાજય ન પામતા થકા ત્યાં વીતરાગી રહે છે.”
ગુણોના ધર્મને જેણે જાણ્યા એને ગુણજન્ય સુખ અને દુઃખ પરત્વે અસ્થિરતા કેમ આવશે? તે તો સ્વસ્થ રહેશે. એની ધીરજ કદી નહિ ખૂટે, નિંદા, પ્રશંસા કે માનાપમાનનાં જોડલાં તો દેહની અગર દેહજન્ય ક્રિયાને લીધે હોઈને તે વિષે પણ તે સંભાળી રહેશે. અને તે એ પણ સમજશે કે જ્યાં એક બાજુ પ્રશંસા આવી કે નિંદા બીજી બાજુ ઊભી જ છે. એક ઠેકાણે માનમાં મોહાયા કે બીજે સ્થળે અપમાનનું દુઃખ થવાનું જ છે. એ બધાં તો એક જ વસ્તુનાં બે જુદાં જુદાં પાસાં છે. આ પ્રકારના ઉદાસીનને મિત્ર પર રાગ ન હોય કે વિરોધી પર દ્વેષ ન હોય. વળી એ ઉદાસીન-એટલે સોગિયો નહિ, પરંતુ ઉચ્ચ કોટિના આત્મસમાં ડૂબેલો હોઈ-નીચ કોટિના વિકૃત રસથી ઉદાસીન એવા-એને પાપકારી પ્રવૃત્તિ તો હોય જ શાની?
આમ અહીં વર્ણવેલાં ગુણાતીતનાં લક્ષણોની –બીજા અધ્યાયમાં વર્ણવેલાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને બારમા ભકિતયોગ અધ્યાયમાં વર્ણવેલાં પ્રિય ભકતના લક્ષણો સાથે-ઘણે સ્થળે સમાનતા લાગશે. અને તે પણ એમ જ. એટલે કમોગ, શાનયોગ કે ભકિતયોગ એમ ગમે તે યોગ, સાધકને જીવનપાં મ આ તકે પ્રધાનપણે ભાસે, પરંતુ આગળ જતાં તો તે બધા યોગ સમન્વય પાની એકમાં લીન બની જ રહે છે, પણ જો એ ખરે મા હોય તો ! આમ કહીને તથા છેવટે તો સત્ત્વગુણથી પણ પર થઈ બ્રહ્મદશા પામવી શકે છે, એમ સુર ને ગુરુદેવ સાંખ્ય અને વેદાંતનો સુંદર સમન્વય સાધી દે છે. ૧૫ અર્જુનને તો . ' ' ના ભકિત-- યોગ તરફ જ વાળે છે.
એટલે હજુ કોઈને એવી શંકા થાય કે ત્રિગુ. નિને અને જે શું લાગેવળગે? તેનો ઉત્તર તેઓ વાળે છે :
ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च । शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्स .. :: : બ્રહ્મ કેરી પ્રતિષ્ઠા હં, મોક્ષની અવિનાશી :
શાશ્વત ધર્મની તેમ, ને ઐકાંતિક સૌખ્યની : ૭ કારણ કે હે અર્જુન !) બ્રહ્મની, કદી નાશ ન પામે એવી : 1. . . !