________________
૫૦૦
ગીતા દર્શન
તુલ્ય મિત્ર રિપુ પક્ષે, તુલ્ય માનાપમાનમાં; ને સૌ આરંભનો ત્યાગી, ગુણાતીત ગણાય તે. ૨ ૫ જે એકનિષ્ઠ ભકિતના, યોગે સેવે મને વળી; આ ગુણો તરી, બ્રહ્મ-દશા પ્રાપ્ત કરી શકે, ૨૬ હે (પાંડુપુત્ર) પાંડવ ! પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ (જે વિષે હું અગાઉ કહી જ ચૂકયો છું કે જે અનુક્રમે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણની વૃદ્ધિનાં લક્ષણો છે,) એ પ્રવર્તમાન થાય ત્યારે દ્વેષ નથી કરતો અને તે નિવૃત્ત થાય તો કાંક્ષા કરતો નથી.
તે
ઉદાસીનની જેમ રહેતો થકો ગુણો થકી જે ચળતો નથી, અથવા તો 'ગુણો જ પોતાનો ભાવ ભજવે છે, એમ માની એ સ્થિર રહે છે, ડગતો નથી (વિકાર પામતો નથી).
તેમ જ વળી સુખમાં અને દુઃખમાં સમભાવી રહે છે, સ્વસ્થ રહે છે. (એટલે કે જે પોતાના ભાનમાં જ સ્થિર રહે છે.) જેને ઢેફું, પથ્થર અને સોનું સરખાં છે (અર્થાત્ એની પાછળ રહેલા મૂળ પમાણુઓ એક સમા સ્વભાવવાળાં છે, એમ જાણી સોનું દેખી ચલિત થતો નથી-‘લક્ષ્મી દેખી મુનિવર ચળે.' એ ઉક્તિને તે ખોટી પાડે છે. ) તથા પ્રિયઅપ્રિયની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં જે વ્યકારખો રહે છે.
જેને પોતાની નિંદા થાઓ કે સ્તુતિ થાઓ એની દરકાર નથી, એવા ધીર પુષ તથા માન કે અપમાનમાં તુલ્યભાવી રહેનાર, મિત્ર તથા શત્રુપાને વિષે પણ સમભાવી રહેનાર અને સૌ આરંભ (આસકિતમય કો)નો ત્યાગી પુરુષ ‘ગુણાતીત' તરીકે ઓળખાય છે.
(અને હે અર્જુન ! ) જે એકનિષ્ઠ ભક્તિયોગથી મને સેવે છે, તે આ ત્રણે ગુણોને વટાવીને બ્રહ્મભૂત દશા પ્રાપ્ત કરી લેવાને શક્તિમાન થાય છે.
નોંધ : ગુણાકેતવાળો તો આજે જીવ બની ગયો છે જ. એ વાત તેરમા અને આ અગાઉ ચૌદમા અઘ્યાયમાં કહીને, અહીં ત્રિગુણાતીતનાં ચિહ્ન તથા ચર્યા બતાવ્યાં.એમાં 'ભગવા કે ધોળા વષનો' કે 'ટીલાંટપકાં' વગેરે બાહ્ય ક્રિયાનો ઉલ્લેખ કર્યો જ નથી, એ જ ગીતાની વિશેષતા છે.
"ગીતાકારે રાગ અને દ્વેષના કારણરૂપ ગુણોમાં પણ કર્તાપણું કાઢી નાખવાથી ગુણાતીતપણું પમાય છે.” એમ કહ્યું.
* અજોડ ને વિરાગી જે જનો મને ઉપાસતા); + ર્મકાંડ વડે યજે. (પાઠાં)