________________
૪૯૨
ગીતા દર્શન
અધોગતિ સૂચવે છે. એટલે તમોગુણ સૌથી હલકો છે.
રજોગુણવાળા જીવમાં શિતનો ખૂબ સંભવ છે. તેથી જો શકિતનો (સત્ય અને અહિંસાને માર્ગે) સદુપયોગ કરે તો તે ઊંચે ચડે અને (હિંસા અને જૂઠમાં દુરુપયોગ કરે તો તે નીચે પડે.
सत्त्वं सुखे संजयति राजः कर्मणि भारत । ज्ञानमावृत्य तु तमः प्रमादे सञ्जयत्युत ||९|| સુખમાં સત્ત્વ જીતે ને, કર્મમાં ૨જ ભારત ! તેમજ જ્ઞાન ઢાંકીને, પ્રમાદે જીતતો તમ, ૯
ભારત ! સત્ત્વગુણ સુખમાં જીતે છે, રજોગુણ કર્મમાં જીતે છે અને જ્ઞાનને ઢાંકીને તમોગુણ પ્રમાદમાં જીતી જાય છે.
નોંધ : ‘સં’ ઉપસર્ગ સાથે આવેલા ’િ ધાતુનો ટીકાકારોએ 'સંયોગ’ અર્થ લીધો છે. પરંતુ સંયોગ વિષે તો ઉપર કહેવાઈ જ ગયું છે. અહીં તો કહેવાનો એ આશય છે કે આત્મા સુખમાં લલચાય એટલે ત્યાં સત્ત્વગુણ જીત્યો, અને આત્મા હાર્યો એમ સમજવું. આ જ રીતે રજોગુણ અને તમોગુણ પણ ત્યારે જીતે છે કે જ્યારે આત્મા પોતાના મૂળ સ્વરૂપથી સ્ખલના પામીને અકર્મમાં, કિંવા અજ્ઞાનમાં વશ થઈ જાય છે.
હવે એ ત્રણે ગુણો સાથે છે એ વાત ખરી, પરંતુ એકબીજા ચડઊતર થાય છે, ત્યારે એક એકને કેવી રીતે ઓળખવા તથા કયા ગુણોને દબાવીને કયો ગુણ ઊંચો આવે છે, તે જો જાણી લેવાય તો સત્ત્વગુણના વિકાસ માટે કોને કોને દબાવવા તે ખબર પડે ! આટલા સારુ હવે શ્રીકૃષ્ણગજી તે જ વાતને કહે છે :
रजस्मतश्चामिभूय सत्त्वं भवति भारत 1
रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा
||
સત્ત્વ ભારત વર્ધતે *(પાન)|| ૧૦|| सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ||११||
1
આ પાઠાંતર ગોંડલ પ્રતિનું છે અને તે પાઠ જ અહીં બંધબેસતો લાગવાથી અનુવાદમાં તે જ રાખ્યો છે.