SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ ગીતા દર્શન ભાવકર્મને જો સ્ત્રીની ઉપમા આપીએ અને સંસારને બાળકની ઉપમા આપીએ, તો એ ભાવકર્મરૂપ સ્ત્રીનો સંગી અને સંસારરૂપી બાકળનો પિતા-અહંકારી આત્મા જ છે.” આટલું કહ્યા પછી પ્રકૃતિનો આત્મા અને સંસાર જોડે શો સંબંધ છે? એ શંકા નહિ જ રહે. હવે ગુણો વિષે કહે છે : सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः । निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ॥५॥ તમ, રજ અને સત્ત્વ, પ્રકૃતિજન્ય તે ગુણો; અવ્યયી દેહીને બાંધે, મહાબાહુ શરીરમાં. પ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણે (ઉપર કહી તે) પ્રકૃતિથી જન્મેલા ગુણો છે, અને તે ગુણો અવિનાશી એવા દેહસ્થ આત્માને દેહમાં બંદીવાન બનાવી દે છે. નોંધ : જ્યારે બીજપ્રદ પિતાનો પ્રકાશરૂપ જીવ પ્રકૃતિ સાથે ભળે છે, ત્યારે પ્રકૃતિનું નાટક શરૂ થાય છે. એટલે કે પ્રકૃતિજન્ય ગુણો જન્મે છે. અને ગુણોની આસકિતથી બંધાયેલા શરીરધારીને પછી તો તે ગુણો પણ જ્યાં લગી આસકિતથી છૂટવા તે તત્પર ન થાય ત્યાં લગી તે શરીરધારીને બંધનથી જકડી લે છે. અવિનાશીને વિનાશશીલ ગુણો બાંધે, એ કંઈ ઓછી નવાઈની વાત છે ? પરંતુ ત્યાં આસકિતનું ઝેર પીને આત્મા પોતાની શકિત ખોઈ બેઠો હોય છે, તેથી જ આમ થાય છે. હવે તે ગુણોની કરામત પૃથપૃથફ રીતે વર્ણવે છે: तत्र सत्त्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् । सुख संगेन बघ्नाति ज्ञानसनेन चानध ।।६।। रजो रागात्मकं विद्धि तृष्णासनसमुद्भवम् । तान्निबध्नाति कौन्तेय कर्मसनेन देहिनम् ।।७।। नमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् । प्रमादालस्यनिद्रामिस्तन्निबध्नाति भारत ।।८।। નિર્મળતાથી ત્યાં સત્ત્વ, નીરોગી તેજવંત તે; સુખને જ્ઞાનના સંગે, બાંધે અનઘ ! જીવને, ૬ તૃષ્ણા સંગથી જન્મેલ, રાગાત્મક રજોગુણ; તે બાંધે જાણ કૌતેય ! દેહીને કર્મસંગથી. ૭
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy