SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ ગીતા દર્શન यथा सर्वगतं सौम्यादाकाशं नोपलिप्यते । सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ||३२|| यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकभिभं रविः। क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥३३।। અનાદિ નિર્ગુણી તેથી; દેહ રહ્યો ય અવ્યયયી; કૌતેય ! આ પર આત્મા, ન લેપાય, ન કે કરે. ૩ ૧ સૂક્ષ્મતાથી ન લેપાય, સૌ વ્યાપી નભ જેમ આ; તેમ દેહ રહ્યો આત્મા, ન લેપાય સહુ સ્થળે. ૩૨ આ આખા લોકને જેમ, એક રવિ પ્રકાશતો; તેમ ક્ષેત્રજ્ઞ આ આખું, પ્રકાશ ક્ષેત્ર ભારત ! ૩૩ હે કૌતેય ! અનાદિપણાને લીધે તથા નિગુર્ણપણાને લીધે આ પર આત્મા નાશી છે અને તે શરીરમાં રહ્યો છતો પણ કશું કરતો નથી ને લપાતો નથી. જેમ સૂક્ષ્મપણાને લીધે આકાશ સર્વ સ્થળે હોવા છતાં ય લેવાતું નથી, તેમ આ આત્મા દેહે સર્વત્ર રહ્યો થકો ય લપાતો નથી. જેમ એક સૂર્ય આ આખા લોકને પ્રકાશ આપે છે, તેમ એક ક્ષેત્રજ્ઞ આ આખા ક્ષેત્રને પ્રકાશી રહ્યો છે. નોંધ: સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણો એ પ્રકૃતિના છે, એટલે જ પર આત્મા દેહરૂપી ક્ષેત્રમાં રહ્યો છતાં અકર્તા અને અલિપ્ત છે. એમ જ જૈનસુત્રો પણ કહે છે કે આત્મપ્રદેશો અજ્ઞાનથી અગર કર્માવરણથી જરૂર અવરાય છે, છતાં આઠ રુચક પ્રદેશો તો નિબંધ સદૈવ અને સર્વ સ્થિતિમાં છે જ. જે જેટલું સૂક્ષ્મ તે તેટલું વ્યાપક અને તેટલું જ નિર્લેપ; આ સિદ્ધાંત ખૂબ સરસ છે. આનો સાધક એ અર્થ લઈ શકે કે જો નિર્લેપપણું અને વ્યાપકતા જોઈતી હોય તો દષ્ટિને સૂક્ષ્મ બનાવે; જ્ઞાનને સૂક્ષ્મ બનાવે; ચાલતાં, ઊઠતાં, બેસતાં અને દરેક પ્રવૃત્તિમાં સો વાર ગળીને પછી ચાલે, બેસે, ઊઠે અને પ્રવૃત્તિ કરે. જૈનસૂત્રો લોકમાં સૂર્યો અને ચંદ્રો ઘણા માને છે, છતાં સૂર્ય અહીં ઉપમા તરીકે વપરાયો છે, એટલે એ માન્યતામાં આંચ આવે તેમ નથી. દીવો મોટા ઘરમાં પડ્યો હોય ત્યારે મોટા ઘરને પ્રકાશે અને કોડિયાં નીચે રાખ્યો હોય તો તેટલામાં જ પ્રકાશે. તે
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy