SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય તેરમો ४७८ નોંધ : જૈનસૂત્રોની જેમ ગુરુદેવે આમાં સૌને માટે મોક્ષમાર્ગની મોકળાશ કરી આપી છે. પરંતુ શ્રીકૃષ્ણગુરુજીનું નિષ્કામ કર્મયોગ તરફ જ વલણ વધુ પડતું છે અને એમની સહાનુભૂતિ સામાન્ય વર્ગ તરફ જ ઢળે છે. ખાસ કરીને તેઓ શ્રદ્ધા અને એકાગ્રતા માગે છે, શુષ્ક શાસ્ત્રવિદ્યા નહિ ! यावत् सत्यते किंचित् सत्वं स्थावरजङ्गमम् । क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ ||२६|| સ્થાવર જંગમ પર્વત, જન્મતું સત્ત્વ જે કંઈ; તે જાણ ભરતશ્રેષ્ઠ ! ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગથી. ૨૬ (હે ભરતકુળના ઉત્તમ પુરુષ) ભરત શ્રેષ્ઠ ! (આ સંસારમાં) સ્થાવર (સ્થિર) કે જંગમ ચાલતું) જે કંઈ સર્વ (પ્રાણી) ઊપજે છે, તે ક્ષેત્ર અને ક્ષેત્રરૂપના સંયોગ થકી જ ઊપજે છે (એમ તું ચોક્કસ) જાણ. નોંધ : સત્ત્વનો અર્થ કેટલાક ટીકાકારો વસ્તુ લે છે, આપણે સત્ત્વનો અર્થ પ્રાણ લીધો છે. ગીતાકાર સ્થાવર અને જંગમ બન્ને પ્રકારનાં પ્રાણીને માને છે. નૈયાયિક વૈશેષિકની માફક તેઓ વનસ્પતિ અપ્રાણ નહિ પણ સપ્રાણ-સજીવ માને છે, એવો આપણો અભિપ્રાય છે. ક્ષેત્ર અને ક્ષેત્રનો સંયોગ એટલે જૈનદષ્ટિએ કાર્પણ શરીર અને આત્માનો સંયોગ. એ સંયોગ છૂટી શકે તેવો છે. પરંતુ જ્યાં લગી એ છે ત્યાં લગી સંસાર છે. એ રીતે પોતાનાં પ્રભવ અને ગ્રાસ અર્થાત જન્મ-મૃત્યુને કરનાર પણ જીવ જ છે, અને છૂટે ત્યારે મોક્ષ છે. ઊલટી પ્રવૃત્તિવાળાનો અજ્ઞાનથી સંસાર છે, અને સચ્ચારિત્રવાળાનો જ્ઞાનથી મોક્ષ છે. એટલે હવે જે આત્મદષ્ટિવાળો પુરુષ હોય છે તે શું પેખે છે, તે કહે છેઃ समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् । विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ||२७|| समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् । न हिनस्त्यात्मनात्मनं रातो याति परां गतिम् ॥२८!! प्रकृत्यैव च कर्माणि विरामाणानि सर्वशः । यः पश्यति तथाऽऽत्मानभकर्तारं स पश्यति ॥२९।।
SR No.008085
Book TitleJain Drushtie Gita Darshan Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1995
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy