________________
ગીતા દર્શન
કે જુદો કરી શકાય તેવો છે. ઘડામાં માટી જેવો નથી કે જે જુદો કરી જ ન શકાય. આ ખૂબીને લીધે જ પુરુષાર્થને અદ્ભુત સ્થાન છે, પણ ભૂમિકા તૈયાર થયા વિના પુરુષાર્થને બદલે પુરુષાનર્થ થવાનો વધુ સંભવ હોઈને આ અઘ્યાયમાં સમર્પણની કિંમત વધુ આંકી છે, અને આંકવા માગે છે. હવે આગળ શું કહે છે તે જોઈએ.
૩૨૨
I
रसोऽहमप्सु कौन्तेय, प्रमाऽस्मि शशिसूर्ययोः । प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥ ८ ॥ पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मिविभावसौ । जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ]] ↑ || बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् । बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् || ૧૦ || बलं बलवतां चाहं कामरागविवर्जितम् धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षम् ॥ ११ ॥ જળે રસ હું, કૌંતેયે ! પ્રભા હું ચંદ્રસૂર્યમાં; શબ્દ આભે, નરે નૃત્વ, ૐકાર સર્વ વેદમાં. પવિત્ર ગંધ પૃથ્વીમાં, તેજ છું અગ્નિમાં વળી; જીવન સર્વ ભૂતોમાં, તપસ્વીઓ મહીં તપ. ૯ મને સૌ ભૂતનું બીજ પાર્થ ! જાણ સનાતન; બુદ્ધિ છું બુદ્ધિમાનોની, તેજ તેજસ્વીઓ તળ્યું. ૧૦ કામરાગવિહોણું હું બળ છું બળવંતનું; ધર્મને માન્ય એવો છું, કામ હું ભૂતમાત્રમાં.
८
૧૧
હે (કુંતીના પુત્ર) કૌતેય ! હું જળમાં રસ છું, ચંદ્રસૂર્યમાં પ્રભા છું, સર્વ વેદોમાં પ્રણવ (એટલે કે સર્વ શાસ્ત્રોમાં ૐકાર શ્રેષ્ઠ છે, તે) છું, આકાશમાં (આકાશનો ખ્યાલ શબ્દથી જ આવે છે કારણ કે જગ્યા ખાલી ન હોય ત્યાં શબ્દ હોઈ શકે જ નહિ. માટે આકાશમાં) શબ્દ હું છું તથા નરોમાં પુરુષાતન પણ હું જ છું.
(તે જ રીતે વળી) પૃથ્વીમાં પવિત્ર ગંધ હું છું, અગ્નિમાં તેજ હું છું, સર્વભૂતોમાં (જે જીવન દેખાય છે તે) જીવન હું છું, તપસ્વીઓમાં તપ હું છું અને સર્વ ભૂતોનું સનાતન બીજ પણ હું છું. (વૈદિક સૂત્રોમાં મહાપ્રલયકાળ આવે છે