________________
૪૭૪
ગીતા દર્શન
જૈનસુત્રની દ્રષ્ટિથી પણ ઘટી રહે છે.
જૈનસૂત્રો જેમ શેયને અનાદિ કહે છે તેમ ગીતા પEા અનાદિ કહે છે. એ સૌથી ઉત્કટ આત્મસ્વરૂપ જ અનાદિ છે. પરંતુ જે કર્મસંગી જીવ છે, તે તો સતુ પણ છે અને અસત્ પણ છે. અને જે સ્વરૂપ કર્મસંગી નથી. તેને તો કોઈ શબ્દથી ઓળખાવાતું જ નથી, એટલે તેને સત પણ ન કહેવાય તેમ અસત પણ ન કહેવાય, એ ગીતાકથન સાચું જ છે. જૈનસૂત્રો જેમ લોકમાં સૂક્ષ્મ જીવો સર્વત્ર ભર્યા છે તેમ કહે છે, તેમ “સર્વત પIfપાવું” એ ઉપમાથી ગીતાએ પણ એ જ કહ્યું. ભૂતોની અંદર છે, તેમ બહાર પણ છે. કારણ કે પ્રકાશમય સ્વરૂપ કદી કોઈ કોટડીની અંદર પુરાઈ શકે નહિ. તેમ જીવનું જ્ઞાન, માત્ર દેહમાં પુરાઈ શકે નહિ; તે તો સર્વત્ર છે. ચરાચર સહુમાં તે પ્રકાશે છે. આત્મા પોતે સ્થિરતાના સ્વભાવવાળો છે, છતાં ગતિમાન છે તે કર્મના સંગથી, પણ જ્ઞાનદષ્ટિએ તો આત્મા એક જ છે, એમ જૈનસૂત્રો કહે છે. છતાં જીવો જુદાજુદા છે. તેમાં આત્મજ્ઞાન છે જ. આત્માના પ્રદેશો પણ સદૈવ અવિભકત છે એમ જૈનસૂત્રો માને છે. છતાં જીવો અનેક છે, અને એ અનેકમાં પણ સહુ વિષે) અસંખ્યાત પ્રદેશી આત્મા પણ માને છે. જીવ ભર્તા છે, જીવ જન્મે છે, મરે છે એ બધું પર્યાયદષ્ટિએ દેખાય છે. વસ્તુતઃ તે ત્રણે કાળે સત્ અને સ્થિર છે. પ્રકાશકોમાં તે પ્રકાશ છે. એનો અર્થ એ કે સર્વ જ્યોતિ કરતાં આત્મજ્યોતિ પ્રબળ છે. તે અગાઉ કહેવાઈ જ ગયું છે. પ્રમાતા (જ્ઞાતા), પ્રમા(જ્ઞાન), પ્રમાણ (જ્ઞાનનાં સાધનો) અને પ્રમેય (જ્ઞાનનું પાત્ર) એવો ભેદો પણ એમાં જ સમાય છે. આ સ્વરૂપજ્ઞાનગમ્ય જ છે. અમૂર્ત હોઈને ઈન્દ્રિયદ્વારા અશેય છે એમ જૈનસૂત્રો પણ કહે છે. અને સૌના હૃદયમાં એ સ્વરૂપ રમી રહ્યું છે એને બીજે કયાંય શોધવા જવાની જરૂર નથી.
જૈનસૂત્રોનો આમાં અક્ષરશઃ અનુવાદ છે. વેદાંતના સમર્થક શંકરાચાર્ય, આત્માને સર્વવ્યાપક કહે છે. એ જ વેદાંતના બીજા સમર્થક રામાનુજાચાર્ય જીવને અણુ કહે છે. એ જ વેદાંતના ત્રીજા સમર્થક મદ્વાચાર્ય "g a fહ મૂતાત્મા ભૂતે મૂતે વ્યવરિચતઃ | gધા ઉંધા ચૈવ તે નચંદ્રવત ” એમ અત ત સ્વીકારે છે. આમ એક જ વેદાંતને માનનારા પરસ્પર વિરુદ્ધ વાત કરે છે. જ્યારે જૈનસૂત્રો આ બધાનો અપેક્ષાવાદથી સમન્વય કરી બતાવે છે. તમે ગીતા પણ એ જ ધોરણ સ્વીકારે છે. જૈન શૈલીને લીધે જ ગીતાનો મહિમા વિશ્વવ્યાપી બન્યો છે તેમ કહેવાથી બન્નેને યથાર્થ ન્યાય મળશે. હવે શ્રીકૃષ્ણગુરુ પોતે આટલો ઉપસંહાર કરતાં કહે છે :