________________
અધ્યાય તેરમો
૪૭૩
(પાર્થ ! જ્ઞાન વર્ણન કર્યા પછી હવે) જેને જાણીને (સાધક) અમૃત ભોગવે છે અર્થાત જેનો જાણનાર મોક્ષ પામે છે. ) તે ય (સંબંધે) તને કહીશ.
(મૂળે) તે આદિવાળું નથી (અર્થાત) અનાદિ છે.) પરબ્રહ્મ સ્વરૂપ છે. તેને સતુ પણ કહેવાતું નથી, તેને અસત્ પણ કહેવાતું નથી. અર્થાત્ તેને ઓળખાવવા માટે કોઈ શબ્દ બસ થતો નથી.) જ્યાં જુઓ ત્યાં) ચોમેર હાથ, પગ, આંખ, મોં, માથું અને કાનવાળું તે સૌને વ્યાપીને આ લોકમાં રહ્યું છે. (અર્થાત આ તો મેં તને ઉપમાવાળું વાકય કહ્યું છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોવાળાં પ્રાણીથી આ આખી સૃષ્ટિ ભરી છે. એટલે એ પ્રાણીમાત્રમાં જે લાગણીપૂર્વકની ક્રિયા થાય છે. તે એને લીધે જ છે એમ કહેવાનો મારો આ વાકય પાછળ હેતુ છે.) બધી ઈન્દ્રિયોના ગુણો એમાં ભાસે છે છતાં તે સ્વરૂપ ઈન્દ્રિય વિનાનું છે. તે સૌથી અલિપ્ત છે અને છતાં સૌનું ભર્તા છે; નિર્ગુણી છે અને છતાં) ગુણભોકતા છે.
તે ભૂતોની બહાર છે અને (ભૂતોની) અંદર પણ છે. તે ચાલતું છે, અને સ્થિર પણ છે. અત્યંત સૂક્ષ્મ હોવાને લીધે તે (કોઈ ઈન્દ્રિયદ્વારા) જાણી શકાતું નથી. તે દૂર છે અને નજીક પણ છે.
તે અવિભકત છે. (અર્થાત તેના ખંડ થઈ શકતા નથી. (તો પણ) ભૂતોમાં વિભકતની જેમ રહેલું છે. તે ભૂતભર્તા છે. જન્મશીલ અને પ્રસનશીલ(ગળી જના) પણ છે. તે જાણવાજોગ છે.
સર્વ જ્યોતિનું જ્યોતિ પણ તે છે. અંધકારથી પર પણ તે જ છે. (એક રીતે તો) જ્ઞાન પણ તે (અને શેય પણ છે. જ્ઞાનથી જાણી શકાય તેવું પણ તે જ છે, સર્વના હૃદયમાં તે રહેલું છે.
ઉપનિષદોમાં જેના સ્વરૂપ વિષે પરસ્પર વિરોધાત્મક વાતો કહેવાઈ છે, તે સ્વરૂપ ખરે જ એવું અટપટું છે. અહીં ગુરુદેવે એ ઉપનિષદુવાકયોને સરસ રીતે ગોઠવી દીધાં છે. જેનસૂત્રોમાં જે ભાર કર્મકાનૂન ઉપર નાખવામાં આવ્યો છે, તે ગીતાકારે એક ઠેકાણે સ્વભાવ ઉપર નાખ્યો. અને બીજે ઠેકાણે શ્રીકૃષ્ણ શરીરમાં રહેલા હું ઉપર નાખ્યો, તે આપણે જોઈ ગયા છીએ. અહીં તે ભાર શેય ઉપર નાખ્યો. શેયને જો ક્ષેત્રજ્ઞ તરીકે ગણીએ તો શ્રીકૃષ્ણ પોતાને મુખે જ કહી ગયા છે :
‘ક્ષેત્રજ્ઞમપિ માં વિદ્ધિ સર્વ ત્રેવુ મારત' એટલે એકંદરે એ બધું સરખું જ છે. જેવો શ્રીકૃષ્ણદેહમાં હું રૂપ અંતર્યામી બેઠો છે, એવો સહુમાં છે. એટલે સહુ જીવો પોતાની આસકિતના ઓછા વધુપણાને લીધે કર્મનાં ફળ ભોગવે છે. તેમ