________________
૪૭૦
ગીતા દર્શન
इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च । जन्ममृत्युज राव्याधिदुःखदोषानुदर्शनम् ||८|| असक्तिनभिष्वङ्गः पुत्रदारगृहादिषु । नित्यं च समचितत्वमिष्टानिष्टोपपत्तिषु ||९|| मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी । विविक्तदेशसे वित्वभरतिर्जनसंसदि ||१०|| अध्यात्मज्ञानित्यत्यं अध्यात्मज्ञाननिष्ठत्वं* तत्त्वज्ञानार्थदर्शनम् । एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ।।११।। નિમનભાવ, નિર્દભ, અહિંસા, ઋજુતાં, ક્ષમા; પવિત્રતા, ગુરુસેવા, સ્થિરતા, આત્મનિગ્રહ ૭ વૈરાગ્ય વિષયો પ્રત્યે અહંતાનો અભાવ ને જન્મ-મૃત્યુ-જરા-રોગ-દુઃખ-દોષનિરીક્ષણ ૮ અનાસકિત અસંયોગ, પુત્ર દારા ગૃહાદિમાં, ઈષ્ટ અનિષ્ટના યોગે, ચિત્તની સમતા સદા ૯ એકનિષ્ઠ ખરી ભકિત હુંમાં અનન્ય યોગથી અરુચિ જન સંસર્ગ, એકાંત સ્થળ સેવન . ૧૦ અધ્યાત્મજ્ઞાનની નિષ્ઠા, તત્ત્વજ્ઞાનાર્થ દર્શન;
એ જ જ્ઞાન વિના બીજું જે છે અજ્ઞાન તે કહ્યું. ૧૧ હે અર્જુન ! માનની અનિચ્છા. ૨. અદંભીપણું, ૩. અહિંસા, ૪. ક્ષમા, ૫. સરળતા, ૬. પવિત્રતા, ૭. સત્પરુષની સેવા, ૮. સ્થિરતા, ૯. આત્મનિગ્રહ, ૧૦. ઈન્દ્રિયોનો વિષયો પ્રત્યે વેરાગ્ય, ૧૧. અહંતાનો અભાવ-નિરહંકારપણું, ૧૨. જન્મ, મૃત્યુ, જરા, રોગ ઈત્યાદિ દશામાં રહેલાં દુઃખનું અને દોષોનું સતત ઊંડું નિરીક્ષણ, ૧૩. પુત્ર, સ્ત્રી, ઘર વગેરેમાં બાહ્ય અને અંતરંગ આસકિતથી દૂર રહેવું, એટલે કે તેમનો બન્ને પ્રકારે ત્યાગ, ૧૪. ઈચ્છેલું મળે કે અનિચ્છેલું મળે, ઈષ્ટનો વિયોગ થાય કે અનિષ્ટનો સંયોગ થાય, તે બધા પ્રસંગમાં ચિત્તનું
* આ પાઠાંતર ગોંડલ પ્રતનું છે, અને તે જ ઠીક લાગવાથી ગૂ. સ. એ જ લીધેલ છે.