________________
૪૬૬
ગીતા દર્શન
નૈયાયિકોના કહેવા પ્રમાણે પ્રથમ વિચારકને એ પ્રશ્ન થાય છે કે હું કોણ?' અને તે માટે એ શરીર હું નહિ, પણ હું કોઈ બીજો એમ પ્રમાણદ્વારા ખાતરી થાય પછી જ એ 'હું'ને માટે પુરુષાર્થ કરી શકે છે. માટે પ્રમાણની સૌ પહેલાં જરૂર છે. આ રીતે એનો જ જવાબ આપતાં ગીતાકાર આઠમા અધ્યાયમાં મૂકેલી અધૂરી વાતને લંબાવે છે. એમ કહો અગર પ્રકારાંતરે એ જ્ઞાન વિજ્ઞાનને દઢ કરે છે એમ કહો, એ બન્ને સરખું જ છે.
“ક્ષેત્ર આ અને ક્ષેત્રજ્ઞ આ” એટલું કહેવા માત્રથી કંઈ પત્યું નહિ, પતે પણ નહિ, કારણ કે જેમ જિજ્ઞાસુમાત્રને તર્ક થાય છે, તેમ અર્જુનને પણ થાય તે સ્વાભાવિક હતું. એટલે શ્રીકૃષ્ણમુખે જ કહેવાયું કે
तत् क्षेत्रं यच्च यादृक च यद् विकारी यतश्च यत् । સ ા ો યત પ્રભાવૐ તત્સમાન શ્રy l'રૂા. જે સવિકારી ને જ્યાંથી, તે જેવું ક્ષેત્ર તે તથા,
ક્ષેત્રજ્ઞ જે પ્રભાવી તે, સંક્ષેપે જાણ હું થકી. ૩ તે ક્ષેત્ર જે રૂપે અને જેવું છે, જે વિકારો સહ વર્તે છે અને જેના થકી એ જેમ વર્તે છે તેમ. (હું તને સંક્ષેપે કહું છું, તું એ સંક્ષેપે સુણ. વળી (તમાં) જે ક્ષેત્રજ્ઞ; (જે હું અગાઉ કહી ગયો છું તે વસે છે) તેને તથા તેનો જે પ્રભાવ છે, તે બીનાને પણ સંક્ષેપે મારી કનેથી તું સાંભળ.
નોંધ : આ શ્લોકમાં ય” અને 'ચ' એ બે પ્રયોગો ઘણીવાર થયા છે. એ બધો ભાવ ગુજરાતી સમશ્લોકીમાં લાવવા માટે પ્રયત્ન કર્યો છે. શરીર એ ક્ષેત્ર છે” આટલું અગાઉ કહ્યું હતું. હવે તે મૂળે કેવું છે? વિકારો સાથે મળે ત્યારે કેવું છે? શાથી વિકારી બને છે? ક્ષેત્રજ્ઞ કોણ છે? એનો જે પ્રભાવ છે તે કેવો છે? તે હવે શ્રીકૃષ્ણમુખે કહેવાય છે. પરંતુ તેઓ કહે છે કે હું જે કહું છું તેને એક યા બીજી રીતે સર્વ ઋષિમુનિઓએ કહ્યું જ છે. જેમકે :
ऋषिभिर्वहुधागीतं छन्द्रोभिर्विधविधैः पृथक् । ब्रह्मसूत्रपदश्चेव हेतुमद्भिर्विनिश्चितैः ।।४।। ત્રષિએ બહુધા ગાયું, નાના છંદો વડે પૃથક, ઠેરવ્યું બ્રહ્મસૂત્રોમાં હેતુવાળાં પદો થકી ૪