________________
ગીતા દર્શન
અધ્યાય તેરમો
ઉપોદ્ઘાત સાંખ્ય શાસ્ત્રો ત્રિવિધ તાપમાં આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ ત્રણ કોટિ ગણે છે. ગીતાના આઠમા અધ્યાયમાં અધિભૂત અધિદેવત, અને અધ્યાત્મનાં લક્ષણો અપાઈ ગયાં છે. સાંખ્ય અને યોગ બને પુરુષ અને પ્રકૃતિને માને છે. તે વિષે પરાપ્રકૃતિ જીવાભૂતા કહી અને અપરાનાં અહંકાર, મન, બુદ્ધિ અને પાંચ મહાભૂતો બતાવ્યાં. છતાં વેદાંત માંહેલા બ્રહ્મને અને ગીતાના પોતાના ઉચ્ચ કોટિના સ્વભાવ” શબ્દને પણ એ સાથે લઈને એનું ક્ષરાક્ષર એવું મૂળ સ્વરૂપ ભૂદદર્શન સંક્ષેપે શ્રી કૃષ્ણચન્દ્ર કરાવી ગયા છે. પૂર્વમીમાંસાના કર્મ શબ્દને ગીતાએ અનેક રીતે છણ્યો અને હજુ છણશે. વિસર્ગ એટલે કે સંસારને પણ એમણે કર્મ કહ્યું. મીમાંસકોના યજ્ઞને પણ ગીતા, બ્રહ્મ અથવા શ્રીકૃષ્ણરૂપ દેહમાં રહેલા આત્મા ભણી લઈ જાય છે. વૈદિક કૃતિઓ માંહેલા સ્વર્ગ નરકથી સાધકને પર • વાનું સૂચવે છે. સ્મૃતિ માંહેલા વર્ણાશ્રમધર્મને ગુણપરાયણ અને ક્રિયાપરાયણ ધવસ્થા સારુ જ એ ભેદ છે, બીજા કશાય કારણે નહિ. આમ સમજાવી દે છે.
આટલું સમજ્યા પછી હવે અર્જુનની જિજ્ઞાસા ખૂબ વધી જાય છે. તેથી તે સાંખ્યદર્શન માંહેલા કૂટસ્થ આત્માને પુરુષને અને પ્રકૃતિને શો સંબંધ છે, શાથી છે, એ જાણવા ઈચ્છે છે. વળી ઋષિમુનિઓએ કહેલા ક્ષેત્રીના સ્વરૂપને પણ એ જાણવા ઈચ્છે છે.
જૈન સુત્રોમાં જ્ઞાયક અથવા ય શબ્દ આત્માને બદલે વપરાય છે. તો એનું સ્વરૂપ પણ એ જાણવા ઈચ્છે. આના જવાબમાં શ્રીકૃષ્ણ મુખે આ અધ્યાયમાં નૈયાયિક વૈશેષિક દર્શનનાં અને જૈન સુત્રોનાં તત્ત્વોને પણ અદભુત રીતે ગોઠવી દેવામાં આવ્યાં છે. આત્મા બદ્ધ છે કે સ્વતંત્ર ? બદ્ધ હોય છેટે શી રીતે ? અને સ્વતંત્ર હોય તે બંધાય શી રીતે ?
આ પ્રશ્ન જિજ્ઞાસુમાત્રને સંભવે છે. જે પ્રશ્નનું ઠીકઠી સમાધાન આ અધ્યાયમાંથી અનુભવતાં મળી રહે તેમ છે. એટલે આધ્યાત્મિક વિજ્ઞાન અને