________________
અધ્યાય બારમો
૪૩
ઈતર સદ્દગુરુ, અથવા અંતરાત્મારૂપી સદ્દગુરુ એ જ જેને પર છે, એવા બની જઈ કાયમ વિકાસ માટે પુરુષાર્થ કર્યા કરે, તેમનો તો બેડો પાર જ થઈ જશે. ખુદ શ્રીકૃષ્ણચંદ્ર કહે છે, તે તો મને સૌથી વહાલા ભકત છે, તે પરમ યોગી છે, તે પરમ ભક્ત છે, તે પરમ જ્ઞાની છે, આ સંસારમાં તે પરમાત્મારૂપ જ છે.
ખરે જ આપણે એ પદ આરાધવા તત્પર બનીએ.