________________
અધ્યાય બારમો
૪૫૯
ये तु धामृतमिदं यथोक्तं पर्युपासते । अधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥२०॥ ને જે યથોકત આ ધર્મે, સુધા શ્રદ્ધાળુ સેવતા;
હું-પરાયણ ભકતો તે, મને અત્યંત પ્રિય છે. ૨૦ (વહાલા અર્જુન ! મેં જે કહ્યું તે તો ધર્મવિહિત અમૃત છે. માટે) મેં જે કહ્યું હતું રીતે) આ ધર્મે અમૃત જેઓ શ્રદ્ધાળુ અને હું માં પરાયણ રહીને સેવે છે, તે ભકતો મને અતિશય વહાલા છે.
નોંધ : શ્રીકૃષ્ણગુરુ જેમ કહે છે તેમ ખરે જ આ અધ્યાય અમૃતરૂપ જ છે. જે સાધકને જીવનશુદ્ધિ જ કરવી છે, એને માટે આ અમૃતની ઉપાસના નિરંતર કરવા જોગ જ છે. થયોક્ત પર્યાપાસતે' કહીને અહીં એ સમજાવ્યું છે કે માત્ર આ અધ્યાય ગોખી ગયે ન વળે ! પોપટ પણ રામનામનો ઉચ્ચાર તો કરી જ શકે છે. મતલબ કે સૌ પોતપોતાની ભૂમિકા પ્રમાણે એમાંથી પોતપોતાને યોગ્ય ગુણો લઈ એ ગુણોનો આદર્શ સામે રાખી જીવનમાં એમને વણવાનો પ્રયત્ન કરે.
શ્રદ્ધા અને એકાગ્રતા બે અંગ તો ગીતાકારે આવા સાધક પાસે પહેલાં માગ્યાં છે. એ ન હોય તો આ ભકિતની શાળામાં તે નહિ બેસી શકે. ત્યાં પછી પાસ થવાની તો વાત જ કયાં રહી! ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो
નામ તાલશોધ્યાયઃ || ૧૨ || 'ૐ તત્ સત્” એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં ભકિતયોગ નામનો બારમો અધ્યાય પૂરો થયો.
છે
જ
જ