________________
અધ્યાય બારમો
૪૫૭
કરીને તેઓ કહે છે :
यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति । शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः || १७ ॥ ન કરે હર્ષ કે શોક, કાંક્ષા કે દ્વેષ ના કરે;
શુભ અશુભનો ત્યાગી ભકત જે તે મને પ્રિય. ૧૭ (ભોળા અર્જુન ! જે પુણ્ય પાપથી છૂટયો તે કર્મબંધનથી છૂટેલો જ છે. સત્યલક્ષી પ્રવૃત્તિ તો સહુએ કરવી જ જોઈએ.
હા; એટલું ખરું કે સત્યવૃત્તિમાં ગયેલો સાધક જો જાગૃત ન રહે તો બેય ચૂકે છે, એટલે જ્યારે એને સમ્પ્રવૃત્તિ પણ બોજારૂપ લાગે ત્યારે સર્પ જેમ કાંચળી તજે તેમ એને છોડી દે અને નિવૃત્તિ સાધી પ્રવૃત્તિનો થાક ઉતારી નાખે. અને વળી નિવૃત્તિમાં થાક ઉતારીને મળેલો પ્રકાશ લઈ પાછો સમ્પ્રવૃત્તિમાં લાગી જાય. એમ નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિમાં અને પ્રવૃત્તિલક્ષી નિવૃત્તિમાં મસ્ત રહે. પણ લક્ષ્યવિહીન નિવૃત્તિ તો જડતાપોષક જ બને. માટે હું સર્વાભનો પરિત્યાગ કહું છું એ કહેવા પાછળ મારો આશય એ છે કે શુભાશુભ ફળ તજીને પ્રવૃત્તિ આચરે. અને આવું ત્યારે બને કે જો કાંક્ષા-દ્વેષ ઓછાં થાય. બાકી રાગ-દ્વેષ આવ્યાં કે હર્ષ-શોક ઊભાં જ છે. માટે જ કહું છું કે મારા મતે એ વાત યાદ રાખવી જ જોઈએ કે જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, જે શોક કરતો નથી. જે કાંક્ષાઓ બાંધતો નથી, (આને પરિણામે) જે શુભાશુભનો પરિત્યાગી છે. (મતલબ કે) આવો ભકિતમાન જ છે, તે મને પ્રિય છે.
નોંધ : ગીતાજીના સમન્વ યોગ ઉચ્યતે'નું રહસ્ય આ છે. અને યોગ કર્મસુ કૌશલ'નું રહસ્ય તો અગાઉ આવી જ ગયું છે. એને જ જૈન પરિભાષા પ્રમાણે સંવર - પાપપુણ્યનો અસ્પર્શ – અને નિર્જરા - નિરાસત ક્રિયા દ્વારા કર્મબંધનભાગ - કહેવાય.
હવે ઉપર કહેલો સમત્વજ્ઞાની વિશ્વ વિષે કેવી રીતે વર્તતો હોય છે તે કહે છે. કારણ કે વર્તન એ જ જ્ઞાની-અજ્ઞાનીને માપવાનું સ્થૂળ છતાં લગભગ બાતલ ન કરી શકાય તેવું માપકયંત્ર છે.
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः । શીતોષ્ણસુવ૬:૬ સમ: વિવર્ણિતઃ || ૧૮ /.