________________
અઘ્યાય અગીયારમો
પ્રતિબિંબ પડે છે. જેમ આત્મા જુએ એટલે મન જુએ તેમ.
આવું વિશ્વદર્શન આત્મા તો વેદે છે, પણ તેને આંખ નથી કે તે જુએ. આત્માનું જોવું, વેદવું અને પામવું એ ત્રણ ક્રિયા એકરૂપ છે. એટલે દિવ્ય મનની આંખોએ આ બધું જોવાય છે. દિવ્ય મન એ ભલે ઉચ્ચ કોટિની હોય તો યે ઈન્દ્રિય જ છે.
૪૪૫
પરંબ્રહ્મ અર્થાત્ સિદ્ધસમું તદન મુકત સ્વરૂપ વચ્ચેનું અંતરાત્મ સ્વરૂપ અને સંસારી કોરિનું બહિરાત્મ સ્વરૂપ; આમાં જગત અને બ્રહ્મ, માયા અગર પ્રકૃતિ અને આત્મા અગર પુરુષ એનો સાર આવી રહે છે. જૈનસૂત્રોનાં જીવ, અજીવાદિ તત્ત્વોની રહસ્યકૂંચી પણ મળી રહે છે. એ વિષે આપણે જોઈ ગયા. આ જ તે વિશ્વરૂપદર્શન.
હવે અર્જુન અનન્ય ભકિત માટે તૈયા૨ થઈ ગયેલો હતો, પણ અવ્યકતની ઉપાસના યોગ્ય કે વ્યકતની તે એને શંકા થઈ. એટલે હવે જવાબમાં શ્રીકૃષ્ણગુરુ બારમા અઘ્યાયમાં જે ભક્તિતત્ત્વ વર્ણવશે તે જોઈશું.