________________
૪૪૩
અધ્યાય અગીયારમો નથી હોતું, અને અગાઉ કહ્યા પ્રમાણે માત્ર જેમને વિશ્વનો થોડોઘણો ય દિવ્ય ભાગ દેખાય છે, તેને આત્મદર્શન ન હોય ત્યાં એક એકડા વિનાના કળામય મીંડા જેવું છે. તે વાત સાચી જ છે.
આ ચારે શ્લોકોનો સાર એ છે, કે બીજાં તપ, જપ, અભ્યાસ, સાધન ગમે તેટલાં ઉત્કૃષ્ટ હોય, પરંતુ અનન્ય ભક્તિ, એટલે કે અજોડ આત્મસુરતા ન હોય, આત્મા એ જ મીરાંની પેઠે સર્વસ્વ ન હોય, તો એનો અર્થ કશો જ નથી, એ તો સહેજે સમજાશે જ. આત્માને યથાર્થ જાણવો, જોવો અને પામવો, એ જ જૈનસુત્રોનાં ક્રમવાર જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આત્માનું પણ એ જ સ્વરૂપ છે, જે વિષે અગાઉ પણ કહેવાયું છે.
એથી જ શ્રીકૃષ્ણગુરુની અનન્ય ભકિતમાં સત્કર્મ, જ્ઞાન અને સમર્પણનો સુમેળ છે.
હવે આપણને શ્રીકૃષ્ણગુરુએ ભક્તભૂમિકાને કાંઠે પહોંચાડી દીધા હોઈને, તેઓ આવતા અધ્યાયમાં ભકિતયોગરૂપી ઉત્કટધામ બતાવશે. તે પહેલાં આપણે આ અધ્યાયનો ઉપસંહાર કરી લઈએ.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविधायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो
નામ શોધ્યાયઃ ૧૧ાા. 'ૐ તત્ સત્” એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં વિશ્વરૂપદર્શનયોગ નામનો અગિયારમો અધ્યાય પૂરો થયો.