________________
૪૪૨
ગીતા દર્શન
IIII
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया । शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥ ५३ ॥ भक्त्या त्वनन्यया शक्यो ह्यहमेवंविद्योऽर्जुन । ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप || પુ૪ || मत्कर्मकृन् मत्परमो मदभक्तः सङ्गवर्जितः । निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव દેખે દુર્લભ આ રૂપ, જે મારું જોયું તેં ખરે; દેવોય નિત્ય વાંચ્છે છે, દર્શન એ જ રૂપનું. ૫૨ જે રૂપે તેં મને જોયો, દેખાવો શકય હું નથી; તે રૂપે વેદ કે યજ્ઞ તપ કે દાનથી વળી. ૫૩ યથાર્થ જાણવા જેવા, ને પામવા પરંતપ; અનન્ય ભકિતથી માત્ર, એ રૂપે શકય અર્જુન.૫૪ નિઃસંગી કર્મી હું અર્થે, જે ભકતને હું છું પરં;
સૌ ભૂતોનો અવૈરી તે, પાંડવ પામતો મને. ૫૫
મારું આ જે રૂપ તેં જોયું, તેનાં દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ તે રૂપનું દર્શન હમેશાં ઝંખે છે.
-
જે રૂપે તેં મને (આજે) જોયો. તે રૂપે હું વેદ, યજ્ઞ, તપ કે દાન માત્રથી ન દેખાઈ શકું !
પણ હે (ઊજળા) અર્જુન ! હે પરંતપ ! એ રૂપે યથાર્થ જાણવા, જોવા અને પામવા માટે (તો) અનન્ય ભક્તિ જોઈએ.
(અને અનન્ય ભકિત એ કંઈ સામાન્ય વસ્તુ નથી. તેને માટે ઓછામાં ઓછું આટલું તો જોઈએ જ.) મારે અર્થે જ કર્મ કરનાર, (ખરી રીતે તો નિઃસંગી (આસક્તિથી રહિત) જેને માટે હું જ પરમ હોઉ (અર્થાત્ હું જ જેને સર્વસ્વ હોઉ) તેવો અને સર્વ ભૂતોનો અવૈરી (એટલે કે કોઈ પણ નાનામોટા દેહધારી પ્રત્યે જેને કશું વેર ન હોય) તે, હે પાંડવ (પાંડુના પુત્ર) મને પામે છે.
નોંધ : શ્રીકૃષ્ણગુરુ કહે છે, દેવો પણ આત્મદર્શન અને વિશ્વદર્શન બન્નેને પામી શકતા નથી. જે દેવો આત્મદર્શન પામે છે, તેને પણ સંપૂર્ણ વિશ્વદર્શન