________________
અધ્યાય અગીયારમો
અવિવેકી અને પરમભકત વચ્ચેનું જેટલું અંતર છે, તેટલું આ અંતર છે. આથી જ હવે શ્રીકૃષ્ણગુરુ ખરે જ રીઝે છે અને કહે છે मया प्रसन्नेन तवार्जुनेदं
रुपं परं दर्शितमात्मयोगात् । तेजोमयं विश्वमनन्तमाद्यं
यन्मे त्वदन्येन द्दष्टपूर्वम् ॥ ४७ ॥ न वेदयज्ञाघ्ययनैर्न दानै
र्न च कियामिर्न त पोमिरुग्रैः । एवंरुपः शक्य अहं नृलोके
द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥ ४८॥ मा ते व्यथा मा च विमूढभावो
द्दष्ट्वा रूपं घोरमीदृऽममेदं । व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं
तदेव मे रूपमीदं प्रपश्य ।। ४९ ।। પ્રસન્ન થૈ પાર્થ ! તને બતાવ્યું, મેં આત્મયોગે પરરૂપ મારું; વિરાટ તેજસ્વી અનંત આઘ, પૂર્વે ન દીઠું તું જ વિણ અન્યે. અભ્યાસ કે ઉગ્ર તપક્રિયાથી, ન વેદ યજ્ઞો થકી દાનથીય; તારા વિના અન્યથી આ રૂપે હું, ન શકય જોવા વીર ! મૃત્યુલોક.૪૮ ન મૂઢતા કે ન તને વ્યથા હો આવું મારું ઘોર આ રૂપ પેખી; થા તું ફરી નિર્ભય શાંત ચિત્ત, આ પૂર્વનું રૂપ જ મારું પેખ.
૪૯
હે અર્જુન ! (તારા .૫૨ મને પ્રસન્નતા સહેજે આવી ગઈ છે તેથી જ ) મેં પ્રસન્ન થઈને તને એ આત્મયોગદ્વારા મારું તેજસ્વી, વિશ્વમૂર્તિ, અનન્ત અને આદ્ય સ્વરૂપ દેખાડયું છે. તારા વિના મારું એ રૂપ કોઈએ આ પૂર્વે જોયું નથી.
૪૩૯
૪૭
હે કુરુકુળના વીર ! અભ્યાસથી, યજ્ઞથી, દાનથી ક્રિયાઓથી કે ઉગ્ર તપ વડે પણ તારા વિના કોઈથી આ મૃત્યુલોકમાં આ રૂપે હું દેખાઈ શકું એમ નથી.
માટે તને મારું દિવ્ય રૂપ જોઈ (વ્યામોહ ન થવો જોઈએ એટલે કે) મૂઢતા ન હો ! તેમ (વળી આ ) મારું ઘોર (ભયંકર) રૂપ જોઈ વ્યથા (વ્યાકુળતા ) પણ ન