________________
૪૩૮
ગીતા ર્શન
મિત્ર માનીને અને તમારા મહિમાને નહિ જાણતાં થકાં મેં "હે સપા ! હે યાદવ! હે કષ્ણ !” એવાં પ્રમાદથી કે મિત્રપ્રણયના જોરથ અજુગતાં જે વચન હ્યાં છે તથા હાંસીમશ્કરીમાં, બેસતાં, સૂતાં, રમતાં, ખાતાં-પીતાં સૌ સમક્ષમાં કે એકાંતમાં જે એવાં કે બીજાં અપમાન કર્યા છે તે હે અશેય (એવાં અંતર્યામી સ્વરૂપમગ્ન મહાત્મન્ ) મને માફ કરજો.
અહો, હવે તમારા ખરા સ્વરૂપને મેં જાણ્યું. તમે સ્થાવરજંગમ લોકના પિતા છો, પૂજ્ય છો, વળી એના મહાન ગુરુ છો. હે અતુલ-પ્રભાવી ! અજોડ સામર્થ્યવાનું! ત્રણે લોકમાં તમારી તોલે આવે તેવું કોઈ નથી, ત્યાં અધિક તો બીજો ક્યાંથી જ હોય !
માટે માથું અને કાયા (ભકિતપૂર્વક)નમાવીને આપને પ્રસન્ન થવા પ્રાર્થ છું. (છતાં હું પ્રેમપિપાસુ હોઈને 'તું' કાર વાપરું તો ક્ષમા કરજો) જેમ પ્રિયાનો પ્રિય, સુતનો પિતા અને મિત્રનો મિત્ર નિરંતર સહિષ્ણુ જ હોય છે તેમ તું પણ મારો સહિષ્ણુ થા!
(અહો ! પહેલાં તો હું) પૂર્વે (કદી) ન જોયેલ દિવ્યરૂપ જોઈને રાજી થઈ ગયો (દિવ્યદર્શન મને ગમ્યું, પણ જેમ જેમ આગળ જોઉ તેમ તેમ તો અભયાનક દ્રશ્યો આવ્યાં. અહા! તેથી તો) હવે મારું મન વ્યાકુળ થઈ ગયું છે. તો હે દેવ ! મને તારું પ્રથમનું રૂપ દેખાડ. હે દેવેશ ! (દેવોના સમર્થ દેવો અને જગન્નિવાસ (વિશ્વના નિવાસસ્થાન) તું પ્રસન્ન થા!
(મેં કહ્યું તે હજુ ફરીથી કહું છું) હે વિશ્વમૂર્તિ (વિશ્વાકાર એટલે જગતનો આકાર છે, તેવા જ તમે છો.*) હે સહસ્ત્રબાહુ - હે હજાર હાથવાળા પહેલાંની જેમ તમારું હાથમાં ગદા અને ચક્ર ધારણ કર્યા છે, માથે મુકુટ છે એવું તે ચતુર્ભુજાળું રૂપ હતું તે રૂપ બની જાઓ.
નોંધ : શ્રીકૃષ્ણચંદ્રના ચાર હાથનો લાક્ષણિક અર્થ એ છે કે તેઓ સામાન્ય મનુષ્ય કરતાં ભિન્નકોટિના હતા. જેમ આપણે ભેજું એક હોવા છતાં કોઈ મહાન વ્યકિતને બહુ ભેજાંવાળા કહીએ છીએ, તેવી આ ઉપમા છે. બાકી ગોંડલ પ્રતિમાં પાઠાંતરે ભુજન” એટલે બે હાથવાળું રૂપવિશેષણ છે.
અર્જુનના મુખમાંથી પહેલાં 'તું' નીકળતું તેમાં મજાક, પ્રમાદ અને કોઈવાર મિત્રપ્રણય હતો. હવે જે “તું” નીકળે છે તેની પાછળ ગુરુભાવ અને પ્રભુભાવ છે. " જૈનસૂત્રોમાં ચૌદ રાજલોકનો આકાર અને મનુષ્યનો દેહાકાર સરખાં જ આપ્યાં છે.