________________
૪૩૬
ગીતા દર્શન
(ખરેખરી વાત છે, દિવ્યતાનો કે દિવ્ય વિભૂતિઓનો જનક મૂળે આત્મા એટલે કે) તું જ છે. મતલબ કે જ્યાં ચૈતન્ય નથી, ત્યાં કશું જ નથી અને જ્યાં ચૈતન્ય છે, ત્યાં તું છો જ.) તને હજારવાર નમસ્કાર હજો ! (ભકિતભર્યું હૃદય ડોલે છે !)
(અને જો સર્વ સ્થળે છો તો પછી આ પાછળ અને આ આગળ એવો ભેદ કયાં રહ્યો?) માટે તને આગળ નમસ્કાર, પાછળ નમસ્કાર, બધી બાજુએ નમસ્કાર, તારું વીર્ય અનંત છે. તારું પરાક્રમ અમાપ છે. બધે તું વ્યાપ્ત છે માટે (ખરે જો તું સર્વરૂપ છે.
નોંધઃ આપણે અગાઉ જે ચર્ચા ગયા હતા તે જ અર્જુને પોતાના મુખથી કહ્યું છે, એટલે ખાસ ઉમેરવાનું કશું જ રહેતું નથી.
વાસુદેવઃ સર્વમિતિ” એ જે ગીતાકાર કહી ગયા હતા તે અર્જુને પ્રત્યક્ષ જોયું એટલે ફરી “મહાત્મ” એ જ વિશેષણ એણે વાપર્યું. કારણ કે હવે એ જાણી ગયો હતો કે પરબ્રહ્મસ્વરૂપ અને આ દૈવી તથા રુદ્ર સ્વરૂપ કરતાં ગુરૂપ શ્રીકૃષ્ણ દેહધારી તો નિરાળા જ છે.
આ પરથી સાધકે એટલું અવધારવું કે જ્ઞાન અને વિજ્ઞાનની આટલી ભૂમિકા પછી જ ગુરુ પ્રત્યે કે અંતર્યામી પ્રત્યે સર્વસમર્પણા-ભકિત-પરાભકિત આવે છે. તે વિના આવેલી ભકિતમાં મૂળ આત્મા ભાગ્યે જ હોઈને છેવટે એ જ વેવલાં ભકિત આત્મઘાતક પણ બને છે. અર્જુન હવે ભકિતને માટે ખરેખરું પાત્ર બની ગયો છે, એટલે તે જાતે જ હવે કહે છે:
सखेति मत्वा प्रसभं यदुक्तं
दे कृष्ण हे यादव हे सखेति । अजानता महिमानं तवेदं (तवेम)
__ मया प्रमादात् प्रणयेन वापि ।। ४१ ।। यच्चावहासार्थमसत्कृतोऽसि
बिहारशय्यासनभोजनेषु । एकोऽथवाप्यच्युत तत्समक्षं
तत्क्षामये त्वामहमप्रमेयम् ।। ४२ ।। पितासि लोकस्य चराचरस्य
त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।