________________
૪૩૫
યાય અગીયારમો મેં ન તે કેમ તને મહાત્મન્ ! બ્રહ્માતણો આદિ મહાનકર્તા ' અનંત ! દેવેશ ! જગનિવાસ ! તું સત્ અસત્ તેથી પરંઅનાશી. ૩૭ રાણ પુરુષ તે આદિદેવ, આ વિશ્વનું તું જ નિધાન શ્રેષ્ઠ;
શેય, જ્ઞાતા, પદ છો પર તું, વ્યાપ્યું તુંથી વિશ્વ અનંત રૂપ! ૩૮ રણ, વાયુ, યમ, ચંદ્ર, અગ્નિ, બ્રહ્મા, પિતા તું જ, પ્રજાપતિ તું; ને નમસ્કાર હજારવાર, ફરી ફરીનેય નમી નમું છું. ૩૯ છે નમું આગળ હું નમું છું, ચોમેર છે વંદન ર્સવરૂપ; માપશકિત તું અનંતવીર્ય, વ્યાપે બધે તેથી તે સર્વરૂપ. ૪૦ | તારી પ્રકીર્તિ થકી વિશ્વ હરખાય છે અને અનુરાગ પામે છે. તે યથાર્થ છે. મરણ કે તારા કીર્તનમાં અજબ બળ છે કે જે મને હવે સમજાયું. તારી શકિતથી
ઘેલા રાક્ષસો ચોદિશામાં દોડે છે (આમતેમ નાસભાગ કરે છે. તે પણ બરાબર છે. કારણ કે તારું કીર્તન થતું હોય ત્યાંથી તે નાસે જ.) સિદ્ધસમુદાયો તને નમે છે, તિ પણ તે દષ્ટિએ બરાબર છે.) | (કારણ કે તેઓ) હે મહાત્મન્ ! તને કેમ ન ગમે? (મે પ્રત્યક્ષ જોયું કે) રહ્માનો પણ આદિ અને મહાન એવો í તું છે. (ત્યાં તને કોણ નનમે ભલા?)
હે અનંત ! (તારો છેડો જ નથી) હે દેવેશ ! તું દેવોનો પણ ઈશ્વર છે) હે જગન્નિવાસ! (જગતની સ્થિતિનું પણ તું સ્થાન છે.)
સારાંશ કે તું અક્ષર છો, સત્ છો અને માયાના સંગે) અસત્ (પણ) છો. અને એક રીતે જીવરૂપી જે સત અને પ્રકૃતિને અવલંબીને રહેલી જે આત્મમાયા તે રૂપી અસત્ અને) તેનાથી પર એવું શુદ્ધ અવિનાશી સ્વરૂપ તે પણ તું જ છે. | (તને દેવ ગણું તો) તું આદિદેવ છો. (પુરુષ ગણું તો) તું પુરાણપુરુષ છો. " (જગતષ્ટિએ જોઉ તો) સૃષ્ટિનું પર્વ નિધાન છે. મતલબ કે સૃષ્ટિતંત્ર તું રૂપ કર્મકાનૂનથી ચાલે છે.) આમ વિવિધ દ્રષ્ટિએ જોતાં જાણવાલાયક પણ તું, જાણનાર પણ તું અને જાણીને અંતે પાર પામવા લાયક એટલે કે ) પર (મોક્ષ) ધામ પણ તું. (વધુ શું કહું? હે અનંતરૂપ! વિશ્વ તારાથી જ સભર છે.
દિવી સત્ત્વો, જેવાં કે) વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, પ્રજાપતિ અને બ્રહ્મદેવના પણ પિતા તું વિના કોણ છે?)