________________
૩૧૮
ગીતા દર્શન
પ્રેરક સદ્ગુરુની ખૂબી જ એ છે કે તે પોતાના સાધક શિષ્યના આત્મા ઉપર સૌથી પ્રથમ તો (એ) કાબૂ જ જમાવી દે છે.
આમ અર્જુનની બુદ્ધિને થકવીને ખૂબ ભૂખ લાગ્યા પછી શ્રીકૃષ્ણચંદ્ર એના અંતરને પોતાના કાબૂમાં લઈને વિજ્ઞાન સહિત જ્ઞાનનો દિવ્યપ્રસાદ પીરસે છે. भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरे व च । अहंकार इतीयं मे मिन्ना प्रकृतिरष्टधा ॥ ४ ॥ अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् एतधोनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥ ६ ॥ मत्तः परतरं नाऽन्यत् किंचिदस्ति धनंजय |
|| પુ ||
I
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव || ૭ || ભુ, પાણી, અગ્નિ ને વાયુ, આકાશ, મન, ને મતિ, અહંકાર મળી આઠ, આ મારી ભિન્ન પ્રકૃતિ. ૪ એ અપરા થકી બીજી પરા પ્રકૃતિ જાણ તું જીવરૂપી, મહાબાહુ ! જેથી નભતું આ જગત્. ૫ સર્વે ભૂતો તણી યોનિ, એ બન્નેને જ જાણ તું; એ રીતે સર્વ સૃષ્ટિનાં, ઉત્પત્તિલય હું જ છું. ૬ મારા થકી પરું બીજું નથી કાંઈ ધનંજય; ગૂંથાયું સર્વ મારામાં, સૂત્રમાં મણકાસમું.
૭
ધનંજય ! (પ્રકૃતિ અને પુરુષ-આ બે ભેદ પાડીએ તો આ જગતમાં બે જ તત્ત્વો છે. પરંતુ પુરુષમાંય વળી પાછા બે ભેદ પડે છે. (૧) જીવાત્મા અને (૨) પરમાત્મા. પણ હું તો તને બીજી રીતે સમજાવવા માગું છું. વેદાંત જેમ એક આત્મા કહે છે, તેમ આત્મા જ્ઞાનદષ્ટિએ સર્વત્ર એકસરખો છે. અને હું મારી જે બીજી બાજુ કહું છું – તે આત્મારૂપ જ છે. એટલે કે એ આત્મા તો સર્વ સ્થળે છે, છે ને છે જ. કોઈ પણ સંયોગમાં તે પોતાના સ્વરૂપને તજતો જ નથી. એ આત્મારૂપ સૂત્રમાં મણકાની જેમ જોડાયેલા બીજાં બે તત્ત્વો પણ છે. એને બે પ્રકારની