________________
અધ્યાય અગીયારમો
૪૨૭
નભે અડેલા બહુરંગી દીપ્ત, ખુલ્લા મુખે તેજી મહાનનેત્રી; દેખી તને વ્યાકુળ દિલ થાય, વિષ્ણુ! ખૂટે ઘીરજ-શાન્તિ મારાં. ૨૪ તારાં મુખો ને વિકરાળ દાઢો, કાળાગ્નિ જેવાં નીરખી જ હું તો; દિશા ન જાણું, નવ શાન્તિ પામું,
પ્રસન્ન થા દવ ! જગનિવાસ ! ૨ ૫ વળી આ દેવોનો સમુદાય તારા વિષે પ્રવેશ કરતો દેખાય છે. તો વળી) કોઈ ભયભીત થયેલા હાથ જોડી પ્રાર્થના કરે છે. મહર્ષિ અને સિદ્ધસંઘ સ્વસ્તિ” (કલ્યાણવાચક) શબ્દનો ઉચ્ચાર કરી, પુષ્કળ સ્તુતિઓ દ્વારા આપનું સ્તવન કરે છે.
રુદ્રો, સૂર્યો, વસુઓ, સાધ્યો, પિતૃઓ, અશ્વિનો, ગંધર્વો, યક્ષો, અસુરો(મતલબ કે દૈત્યોનું પણ આપના સ્વરૂપમાં સ્થાન છે જ.) મરુતો, સિદ્ધસંઘો, વિશ્વદેવો એ બધાય આપને વિસ્મિત થઈને જ જોયા કરે છે. (મતલબ કે એમને સહુને માટે, આ દૈવી ઐશ્વર્ય આશ્ચર્યરૂપ જ છે. એમને સહુને આ દર્શન સંભવિત નથી. જૈનસૂત્રો પણ એમ જ કહે છે કે અમુક ઉચ્ચકોટિના સાધકો અને સમકિત દેવોને જ અવધિજ્ઞાન સંભવે છે.)
(અગાઉ કહી ગયો તેમ ફરીને વળી કહું છું) ઘણાં પેટ, સાથળ, આંખ, મુખ, ભયંકર દાઢ, હાથ, પગ અને મોટી ભુજાવાળા હે દેવ ! તારું આ મહારૂપ દેખીને જેમ લોકો વ્યથા પામ્યા છે તેમ હું પણ વ્યથા પામું છું.
અરે વિષ્ણુ ! આકાશને અડેલા, ખુલ્લા મુખવાળા, ઝળહળતા બહુરંગી અને વિશાળ તેજસ્વી આંખોવાળા તને જોઈને મારું અંતર વ્યાકુળ થયું છે. હું ધીરજ કે શાન્તિ હવે નથી રાખી શક્તો.*
હે જગતના નિવાસસ્થાન ! દેવોના સમર્થ સ્વામી ! તારાં પ્રલયાગ્નિ જેવાં મોઢાં અને ભયંકર દાઢો જોઈ દિશા નથી જાણતો (અર્થાત્ દિગમૂઢ બની ગયો છું-દિશા ભૂલ્યો છું.) શાન્તિ નથી પામતો, માટે તું પ્રસન્ન થા! હું તો ભયભીત * ખરી જ વાત છે. આવા રૂપને લાંબો વખત સુધી જોવું, એમાં પણ સ્થિરતા જોઈએ છે. અહીં સંબોધનમાં વિષ્ણુ વપરાયું છે તે એ અર્થમાં જ કે વિષ્ણરૂપ એ દૈવી રૂપ છે.