________________
૪૨૮
ગીતા દર્શન બની ગયો. વિશ્વરૂપનું પ્રથમ દર્શન તો અદ્ભુત લાગતું હતું, આ તો ભારે ભયંકર, બાપ રે! બંધ કરો હવે તો ?)
નોંધ : અનુવાદનો ખુલાસો વાંચ્યા પછી ખાસ ઉમેરવાનું રહેતું નથી. સમજવાનું એટલું જ છે કે આ દેવી વિશ્વરૂપ પણ અર્જુનને માટે લાંબો વખત સહેવાય તેવું નથી. પહેલાં ચમત્કારનું સુખ માણે ન માણે, ત્યાં મૃત્યુની ભયંકરતા ઊભી જ છે. બાહ્ય સુખ માત્રનું આમ જ છે. ચાહે તે દૈવી હો કે માનુષી હો ! માટે તે થાકે છે અને અંતે પોતાના ગુરુનો માત્ર પ્રસાદ જ યાચે છે. જેમ એક તૃર્ષિત-તરસ્યો હોય ત્યારે મોટું તળાવ પી જઉં એમ બોલે, ભૂખ્યો માણસ મોટા થાળમાં ઘણું લઈને બેસે, પણ થોડું ખાધું, કે પેટ તૃપ્તિ થયા પછી તુરત એ જ કહે કે હવે આને લઈ જાઓ, મારી સામે નહિ! તેમ અર્જુનને પણ હવે એમ જ થયું છે. જોવાનું હતું તે જોઈ લીધું, હવે નથી જોવું એમ તે કહે છે. પણ શ્રીકૃષ્ણ મહાત્મા એમ કયાં જલદી છોડે એવા હતા ! એમને મન પર એ જ વાત હતી કે હજુ થોડીવાર રાહ જુએ અને ખરી વસ્તુ જુએ! ભાવિકાળનું પણ યથાર્થ દર્શન કરી લે કે જેથી ફરી ઉત્કંઠા બાકી ન રહી જાય ! હવે અર્જુન જે દશ્ય આગળ ઉપર જુએ છે, તે વિષે ગીતા બોલે છેઃ
अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः
सर्वे सहैवावनिपालसंधैः । भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ
સEાત્મવીર યોધમુકીઃ || રદ્દા वक्त्राणि ते त्वरमाणा विशन्ति
दंष्ट्राकरालानि भयानकानि । केचिद्विलग्ना दशनान्तरेषु
સંદ્રય ચૂfસૈરુત્તમઃ | રછો यथा नदीनां बहवोऽम्बुवेगाः
समुद्रमेवाऽभिमुखा द्रवन्ति । तथा तवामी नरलोकवीरा
विशन्ति वक्त्राण्यमिविज्वलन्ति ।।२८ ।।