________________
૪૨૪
ગીતા દર્શન
त्वमक्षरं परमं वेदितव्यं
त्वमस्य विश्वस्य परं निधानम् । त्वमव्ययः शाश्वतधर्मगोप्ता
सनातनस्त्वं पुरुषो मतो मे ||१८|| તું જ્ઞય તે અક્ષર ૮ પર છો, આ વિશ્વનું તું જ પરંનિધાન; અનાશી તું શાશ્વત ધર્મપાલ, માન્યો તને શાશ્વત મેં પુરુષ. ૧૮ તને હું (માત્ર આત્મજ્ઞાનથી જ) વેદવા લાયક એટલે કે શેય, પરમ અને અક્ષર માનું છું. તું આ વિશ્વનું પર્વ નિધાન છે તું અવિનાશી તેમજ સનાતન ધર્મનો રક્ષક અને શાશ્વત પુરુષ છે (એમ પણ) હું તને માનું છું.
નોંધ : પ્રભુનું પરમસ્વરૂપ કે જે સનાતન ધર્મપાલક (એટલે વસ્તુ-માત્રના મૂળગત સ્વભાવોનું નિયમન કરનારું) છે તે તદ્દન નિરાલુ છે, તે માત્ર જ્ઞાનગણ્ય છે, દષ્ટિગમ્ય છે જ નહિ. દિવ્યદષ્ટિથી અર્જુન જે જુએ છે તે આત્માના તેજો અંશમાંથી ઊપજેલી દિવ્ય-વિભૂતિઓ જુએ છે અને તેથી જ તેમાં અદૂભુત, રૌદ્રવીર આદિ રસો દેખાય છે.
સાધકની જિજ્ઞાસા સંતોષવા સારુ અને વસ્તુતત્ત્વ બતાવવા સારુ કરવી જોઈતી હતી તે ચોખવટ કરી અર્જુન આગળ વધતાં કહે છે.
अनादिमध्यान्तमनन्तवीर्य
मननन्तबाहुं शशिसूर्यनेत्रम् । पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं
સ્વર્તનસા વિધ્વમિટું તUત્તમ ૧૦ || द्यावापृथिव्योरिदमन्तरं हि
___ व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः । दृष्ट्वाद्भुतं रुपमुग्र तवेदं ।
__ लोकत्रयं प्रव्यथितं महात्मन् ||२०|| ન આદિ મધ્યાંત અનંત શકિત, અનંત બાહુ રવિચંદ્ર ચક્ષુ; દીપેલ અગ્નિ મુખવંત હું તને તપાવતો ભાળું જગત્ સ્વતેજે. ૧૯ તું એકથી અંતર વ્યોમભૂનું, ને સૌ દિશા વ્યાપ્ત થયેલ તારું; આ ઉગ્ર ને અભુત રૂ૫ ભાળી, ત્રણેય લોકો થથર્યા મહાત્મને.૨૦