________________
અધ્યાય અગીયારમો
૪૨૧
હે (ધૃતરાષ્ટ્ર) રાજન્ ! મોટા યોગીશ્વર (યોગમાં સર્વ સમર્થ) એવા હરિ, એવું બોલ્યા પછી પાર્થને પરં (એ) ઈશ્વરી ! (શકિતમાન) રૂપે દેખાડતા હતા.
નોંધ : સંજયે ધૃતરાષ્ટ્રને અહીં ફરીને સચેત કર્યા છે, તેમાં પણ ગીતાના સંકલનકારની ખૂબી છે. તે બે પ્રકારે(૧) ધૃતરાષ્ટ્રની શ્રીકૃષ્ણજી પ્રત્યે ભકિત વધારવા. (૨) આ વર્ણન પાર્થિવ નથી પણ દૈવી છે એમ પાઠકને સૂચવવા.
હવે આગળ ચાલતાં સંજય જ અર્જુને શું જોયું અને એની શી સ્થિતિ થઈ તે થોડા શ્લોકમાં સંક્ષેપે મૂકે છે તે જોઈએ:
अनेकवक्त्रनयनमनेकादमुतदर्शनम् । अनेकदिव्याभरणं दिव्याने कोद्यतायुधम् ||१०|| दिव्यमाल्यांम्बरधरं दिव्यगन्धानुलेपनम् । सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ||११|| दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता । यदि भा सद्दशी सा स्याद् भासस्तस्य महात्मनः ।।१२।। तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा । अपश्यदेवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥ १३|| ततः स विस्मयाविष्टो हृष्ट रोमा धनंजयः । प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत |१४|| અનેક મુખ ને આંખ દશ્ય અલૌકિક; ઘણાં દિવ્ય ઘરેણાં ને દિવ્ય શસ્ત્રોથી સજ્જ એ.૧૦ વસ્ત્રો, માળા, ધર્યા દિવ્ય, વિલેપ્યું દિવ્ય ગંધથી; સૌ આશ્ચર્યભર્યું દૈવી, વિશ્વવ્યાપી અનંત એ. ૧૧ એકી સાથે પ્રકાશે જ નભે સૂર્ય હજા૨ તો; તે મહાત્માતણી કાંતિ જેવી કાંતિ કદાચ હો. ૧૨ એક સ્થળે જગત આખું, બહુ રીતે વિભકત ત્યાં;
દેવાધિદેવના દેહે, તે સમે જોયું પાંડવે. ૧૩ *ગોંડલથી બહાર પડેલી પ્રતમાં દિવ્યમાલામ્બરઘર" એ પાઠાંતર છે એટલે ગુજરાતી સમશ્લોકીમાં અહીં માળા અર્થ રાખ્યો છે.