________________
૪૨૦
ગીતા દર્શન
એટલે આ ભારતવર્ષના આદિત્ય દેવ તરફ તથા બીજા જે દેવો એમની બાજુમાં મૂકયા છે તેમની તરફ પણ બહુમાનની દ્રષ્ટિથી જોતા, એટલે કે ભારત વિશેષણથી સંબોધીને પ્રથમ જ એમનાં દર્શન બતાવી ઉત્સુકતા જગાડવાનો પ્રયાસ છે. પણ આ બધું જોઈ, તે પ્રમાદી ન બની જાય તે માટે અપ્રમત્તતા સૂચવનારું ગુડાકેશ” વિશેષણ વપરાયું છે.
આ બધાં દશ્યો દેવી આંખે જ જોઈ શકાય, તેની મતલબ એ કે આ દશ્યો સ્થળ આંખે જોવાય તેવાં નથી, પણ દિવ્ય બુદ્ધિ જ્ઞાન તરફ લઈ જાય તેવી બુદ્ધિએ) જોવાય તેવાં છે. જે સાધક દિવ્ય બુદ્ધિ પ્રાપ્ત કરે તે જોઈ શકે. જૈનસૂત્રોમાં આને અવધિ નામે સૂચવાય છે. તે જ સમ્ય હોય તો અવધિજ્ઞાન ગણાય અને અસમ્યગૂ હોય તો વિર્ભાગજ્ઞાન ગણાય. અર્જુન માટે તે સમ્યગૂ જ્ઞાન હતું. શરીરના એક જ સ્થળે આ બધું દેખાય તેમાં પણ જ્ઞાનીને કશું આશ્ચર્ય નથી. જૈનસૂત્રો કહે છે કે, વનસ્પતિના એક નાનામાં નાના ભાગમાં રહેલા અતિ સૂક્ષ્મ જીવ સાથે પણ એવી અનંત કર્મ વર્ગણાઓ છે, કે જેમના પ્રદેશને વિસ્તારવામાં આવે તો આખા લોકમાં પણ ન સમાય; છતાં આત્મપ્રભાવ આગળ એ એટલી સંકોચ પામી જાય છે, કે ધૂળ આંખથી કે સૂક્ષ્માતિસૂક્ષ્મ યંત્રની મદદથી પણ આ પાર્થિવ આંખે ન દેખી શકાય. વાચકને આથી કંઈક કલ્પના આવે એ ખાતર આટલું કહ્યું, જેથી આ બધી ગપ છે એમ માનતાં કે બોલતાં પહેલાં એ ચેતે ! બાકી તો દલીલનો આ વિષય જ નથી. અનુભવ અગર શ્રદ્ધા, બેમાંથી એક જેની પાસે હોય એને માટે આ અપૂર્વ વસ્તુ છે.
અહીં ઈશ્વરી યોગનો અર્થ સમર્થયોગ જ લેવો. "આંખ ઊઘડતાં સૂર્યોત્પત્તિ, શ્વાસોચ્છવાસથી વસુઓ, ભૂકટિ એકત્ર થતાં રુદ્રોત્પત્તિ, અને સૌમ્ય મુદ્રામાંથી અશ્વિનીકુમાર ઊપજે છે. કાનથી વાયુ” એમ જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, તે પરથી સાધક એટલું સમજશે કે જીવને જુદા જુદા ભાવો ઊઠે છે, તે જ એ સૃષ્ટિ છે. હવે ધૃતરાષ્ટ્રને સચેત કરવા માટે સંજય કહે છે :
સંનય વ7 | एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः । दर्शयामास पार्थाय परमं रुपमैश्वरम् ।।९।।
સંજય બોલ્યા : એમ બોલ્યા પછી રાજન્ ! મહાયોગેશ શ્રીહરિ; ઈશ્વરી ને પરંરૂપ, બતાવે પાર્થને ખરે. ૯