________________
સઘ્યાય અગીયારમો
इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ' मम देहे गुडाकेश यच्चान्यद्द्रष्टुमिच्छसि न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा
!Hel
दिव्यं ददामि ते चक्षः पश्य मे योगमेश्वरम् ||८|| શ્રીકૃષ્ણ બોલ્યા :
સેંકડો ને હજારો જો, વિવિધાકાર રંગનાં;
S
મારાં દિવ્ય રૂપો, પાર્થ ! જો વળી ભાતભાતનાં. ૫ આદિત્યો, વસુઓ, રુદ્રો, ને જો મરુત અશ્વિનો; પૂર્વે એવાં જ જોયેલાં, ઘણાં આશ્ચર્ય ભારત. આજે એક સ્થળે આખું, જગત્ જો સચરાચર; મારા દેહે ગુડાકેશ ! ને બીજું જોવું હોય તે. અસમર્થ મને જોવા, તું છો આ તારી આંખથી;
માટે દિવ્ય દઉં ચતુ, ઈશ્ર્વરી યોગ જો હવે. .
૭
૪૧૯
હે (પૃથાના પુત્ર) પાર્થ ! મારાં સેંકડો ને હજારો રૂપ જો. તે બધાં જુદા જુદા પ્રકારનાં, દિવ્ય, ભાતભાતના, રંગબેરંગી અને નોખાનોખા આકારવાળાં છે.
હે (ભરતકુળના ઉત્તમ પુરુષ) ભારત ! (બાર) આદિત્યો, (આઠ) વસ્તુઓ, (અગિયાર) રુદ્રો, (ઓગણપચાસ) મરુદ્ગણ, તથા પૂર્વે ન દીઠેલાં એવાં બહુ આશ્ચર્યો તું જો.
હે (નિદ્રાને જીતનાર ! ગુડાકેશ (સ્વસ્થ થા અને જો. ) આજે અહીં મારા શરીરમાં એક સ્થળે આખું સચરાચર જગત જો. અને બીજું પણ જે કંઈ તું જોવા ઈચ્છતો હોય તે જો.
(હજુ અર્જુનને બાઘા જેવો જોઈને શ્રીકૃષ્ણચંદ્ર બોલ્યા : અરે ભોળા !) તું તારી (પાર્થિવ) આંખથી મારા એ સ્વરૂપને નહિ જોઈ શકે. માટે તને દિવ્ય ચક્ષુ આપું છું, હવે મારો ઈશ્વરી યોગ જો.
નોંધ : પાર્થ, ભારત અને ગુડાકેશ એ ત્રણે વિશેષણો પ્રાસંગિક સ્થળે કુદરતી રીતે જ યોજાઈ ગયાં છે. અર્જુન પાર્થિવ આંખે આ બધું ન જોઈ શકે માટે દિવ્ય ચક્ષુની જરૂર હતી, એમ 'પાર્થ' વિશેષણ સૂચવે છે. ભરતકુળમાં તે ઉત્તમ છે