SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ પસંદ કરવાની અને આંતરિક સાંસ્કૃતિક પર પરા જાળવવાની પૂરેપૂરી સ્વતંત્રતા હાવી જોઈએ. ભિન્ન ભિન્ન પ્રજા પેાતાની સ્વતંત્રતા જાળવીને અધર્મ અને આક્રમણુના સામના કરવા એ ચક્ર નીચે નિર્ભયતાથી આવે, જે અભય ચક્ર પ્રેમ અને સમજાવટથી જ તેમની સાથે કામ લે તે સાત્ત્વિક પ્રધાન છે. જેમ! વૈવિષ્યની મુક્તતા છતાં સંસ્કૃતિના સારગ્રાહી સંગમ માટે ભિન્ન ભિન્ન પ્રજાએ પરસ્પરના લગ્નસંબંધથી સંકળાય, સૌંસ્કૃતિસંગમ સરલ બને. આમ સમન્વય અને સમવાયથી શાભતા સ્વતંત્રતા, સમાનતા અને સયમપ્રધાન સાત્ત્વિક ચક્રની સ્થાપના માટે રાજસૂય યજ્ઞ કરી આપ ચક્રવતી બને તે પહેલાં એક અધૂરું કામ બાકી રહ્યું છે તે જરાસંધ અને તેના મિત્રમંડળના એકચક્રી સરસુખયારી શાસનના અંત આણુ જોઈએ. આ કાર્ય આપનાથી થાય તેમાં હું સપ્રકારે સાથ આપવા છતાં યશ તા આપને જ મળે એવી મારી કા પ્રણાલી છે. એટલે આપને જ એની પહેલ કરવાની રહે છે. મારી ગુપ્તે મર્દા મળશે, આ કાર્ય પાર પાડવા માટે ઉદ્ભવ વગેરેની સલાડુ મુજબ અમે ભીમસેનને અમારી સાથે લઈ જઈશું. કામ યુદ્ધ કરતાં વધુ યુક્તિથી પાર પાડવાનું છે.” યુધિષ્ઠિર મહારાજે રા આપી તે પછી બ્રાહ્મણ વેશે ભીમસેન, અર્જુન અને કૃષ્ણ જરાસધ પાસે આવ્યા. જરાસંધે માગવાનુ કહ્યું. એટલે ભીમે યુદ્ધ માગ્યુ, જરાસંધને ભીમ લડવા લાગ્યા. ભીમ તેનાં ફાડિયાં કરે છતાં તે પાછાં સંધાઈ જતાં. કૃષ્ણે સત કરી ભીમને યુક્તિ બતાવી દીધી અને જરાસંધના ટુકડા કરી સધાવા ન પામ્યા અને મૃત્યુ પામ્યા. આમ જરાસંધે કારાગારમાં રાખેલા વીસ હજર આઠમે રાજઓએ મુકત થઈ પાંડવાના ધર્મ છત્ર નીચે, લક્ષ્મી અને સત્તાના મદના પંજામાંથી મુકત થઈ ધર્મરાજાની આજ્ઞા પ્રમાણે વર્તવા પ્રસન્નતા બતાવી. આમ ભગવાનની હાજરીથી ખૂબ વિકટ, મુશ્કેલ તે દુર્લભ લાગતાં
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy