SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ લેવા અને કુંતાજી તથા પાંડવોને સાંત્વન તથા સહાય આપવા માટે રવાના કર્યા. અક્રૂરજીના આગમનથી કુંતાજી-પાંડવોને ખૂબ સંતોષ થ. એમણે પણ વિદુરજી, ધૃતરાષ્ટ, દુર્યોધન તેમજ વિકર્ણ અને સમગ્ર રાજકારણીઓની મુલાકાત લઈને અને પ્રજાનાં ભિન્ન ભિન્ન જૂથમાં ફરીને પરિરિથતિને પૂરો ક્યાસ કાઢી કૃષ્ણ ભગવાનને તેનાથી વાકેફ કર્યા અને કહ્યું : સાવ નજીકની લોહીસગાઈ મમતામયી; ન્યાયી કર્તવ્ય ચુકાવે જે મોટા નરનું તહીં; તે ત્યાં નિમિત્ત નાનુંય મહાયુદ્ધ મચાવશે; માટે ઘર થકી માંડી વિહે સૌ સાવધાન હે. (પા. ૪૫૬) અરિજીની સાવધાનીએ શ્રીકૃષ્ણને જાતે જઈને પાંડવોને સાથ દેવા સાબદા કર્યા. ભગવાન જઈને સીને મળ્યા, ભેટયા એથી તેમને એટલું પ્રોત્સાહન મળ્યું કે પાંડવોની તમામ પીડા શાંત થઈ ગઈ. એટલું જ નહીં પણ તેમને ભારે મોટી પ્રતિષ્ઠાનું બળ પણ મળ્યું. જાતે આવી હરે, પીડા, ભક્ત એ પાંડવો તણી, પરણેય મળે તેમ, કરણ સદાય કાયમી. (પા. ૪૯૨) કૃષ્ણ સહાયની સાથેસાથે દષ્ટિ પણ આપી. (ખ) સંસ્કૃતિ-સમવાય અને જરાસંધ-વધ મુખ્ય તમોગુણું જ્યાં હો, કિવા રજોગુણ ઘણા; સધમ પુરુષાથીઓ, અંતે જીતી જશે તિહાં, (પા. પ૨૯) ભગવાનની પ્રેરણાથી યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા કરી. ભગવાને હાજર થઈ તેનું સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું કે “જરાસંધ અને તેનું મિત્રમંડળ પિતાની એક-શાસનીય પરંપરા બધા પર લાદીને ધાક મારફત સરમુખત્યારી કરવા માગે છે. તે તમે ગુણપ્રધાન છે. સાત્વિક શાસનચક્રમાં ભિન્ન ભિન્ન પ્રજાઓને પિતાના રાજકર્તા
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy