SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કામ પણ સાવ સુલભ થાય છે; કેમ કે પિતે ગુત ઉપાદન, અને નિમિત્ત ઉભયે; એમ બધું કરે પિત, દે તોયે યશ અન્યને. (પા. પર૫) સહાય પ્રભુની હોય, ત્યાં થાતું સર્વ પાધરું; કેમ કે જગસ્વામી જ્યાં, અધુરું પૂર્ણ ત્યાં થતું. (પા. ૪૬૨) આમ અધૂરું કામ પૂરું કરી સૌ હસ્તિનાપુર આવ્યા અને સર્વત્ર રાજસૂય યજ્ઞનાં આમંત્રણ મોકલ્યાં. (ગ) રાજસૂય યજ્ઞ કમર્યો પશુઓ દૈત્યો, જ્યારે તે એકઠાં થતાં; ત્યારે લોકો કિંજે સંતે, એકત્રિત થવાં ઘટે, તો કાયમ ટકે વિશે, શાંતિ ને સમતલતા; છતે સત્ય–અહિંસા, ને ફરકે ધર્મની ધજા, (પા. પ૩૯) કાળ પાયે બધાં, પુણ્યશાળી એકત્ર સામટાં થાયે પ્રભુકૃપાથી તે, અંતે સો પાપી હારતાં. (પા. ૪૫૮) કૃષ્ણ, ભીમ અને અર્જુન જરાસંધને વધ કરી વીસ હજાર આઠસ રાજવીને પિતાના અનુશાસન નીચે લાવ્યાના સમાચાર જ્યારે જાણ્યા ત્યારે યુધિષ્ઠિર નઝાતિનમ્ર બની ભગવાનને કહેવા લાગ્યાઃ “હે સચિદાનંદ સ્વરૂપ ! આ૫ જે કંઈ કરે છે તે આપની જ લીલા છે. અમને યશ અપાવવો એ તો આપની કૃપાલીલાને એક ભાગ છે. આપની આજ્ઞાને અગાધ મહિમા છે. માટે આપ રાજસૂય યજ્ઞની આજ્ઞા આપ.” ભગવાને કહ્યું : “જ્યારે અસુરી ભાવવાળા કુમાનો અને પાશવી ભાવવાળા દૈત્યો એકત્ર થઈ અધર્મનો પ્રચાર કરતા હેાય ત્યારે સંતો અને દ્વિજોને અર્થાત સત્યનિષ્ઠ બ્રાહ્મણે ને ભક્તસેવકેને તેમ જ આર્ય-આતર તમામ પ્રજાને અને ગુણકર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને સેવકના ધર્મ બજાવનારા ધમી લે કોને
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy