________________
૪૮ કરવા માનવ-મહેરામણ ઊમટયો. શ્રીકૃષ્ણનું પહેલું કામ તે ધાકને તાપ કાઢી નાખવાનું હતું. પ્રયારણ અને પ્રકાશન ખાતાના પ્રતિનિધિ સમે ઘેબી કૃષ્ણને સામે મળ્યો. એણે કંસની નીતિની પ્રસંશા. કરી બલરામ-કૃષ્ણનું અપમાન કર્યું. પણ ભગવાને સૌની વચ્ચે એને એ ઊધડો લીધે કે તે તો ભાગી છૂટ્યો. આયોજનના-પ્રબંધના પ્રતિનિધિ જેવો દરજી મળે. તે તો શ્યામસુંદરને ચાહક બની વજને આયોજનની પ્રશંસા કરવા લાગ્યો. પ્રશિક્ષણના પ્રતિનિધિ જેવી કુજા નવજાત શિક્ષિતોની બુદ્ધિને સામ, દામ, દંડ, ભેદ ને છળકપટની વક્ર રાજનીતિથી વક્ર બનાવતી હતી. તેને પ્રભુએ માધુર્યથી જીતી લીધી. જેવી તે ભગવાન અભિમુખ થઈ તેવી જ ભગવાને તેના ચરણ પર પિતાના પગ મૂકી દાઢીથી તેના શરીરને ઊંચતાં તેનાં છાતી ગળું અને કમર વાંકાં મટી સર્વાંગસુંદર બની ગયાં. એની કેડને ડાંડ વાળી કામ કરનારી બની; હૃદયમાં સહદય ભક્તિ અને ગળામાં સત્યનું ગાન ગાતાં ગાતાં એ પ્રશિક્ષણને બંધનને બદલે મુક્તિદાતા બનાવવા લાગી. કુન્શાએ ભગવાનને પિતાને ઘેર આમંચ્યા અને છેવટે પ્રશાસનને પ્રતીક સમુ ધનુષ ભાંગતાં ભયમાત્ર ભાંગી ગયા. મથુરામાં ઘોર અંધારા પછી નવજાગૃતિની ઉષા ઊગી. ભગવાને રાજ્યશાસનનાં ચારેય અંગને સત્ય—પ્રેમથી સભર કર્યા. કૃષ્ણ મથુરાનાં હૃદય જીતી લીધાં. કુજા અને દરજીનાં હદયપરિવર્તન કર્યા અને ખાસ કરીને ધનુષભંગ થયું ત્યારથી કંસ ગભરાઈ ગયે હતો. આખી રાત તેને ઊ ધ ન આવી. અપશુકને અને ખરાબ સ્વપ્નાં તેને શિથિલ કરતાં હતાં, પરંતુ તેના મિત્રોએ અને મલેએ તેને શીખવ્યું કે અખાડામાં આવતાં પહેલાં જ કુવદ્યાપીઠ હાથી તેના પર છે. તે જ તેને પૂરા કરી નાખશે. અને બીજે દિવસે બન્યું પણ એવું કે કૃષ્ણ પર હાથી તો છેડો પણ હાથીને જ ભગવાને રમત કરતાં કરતાં મારી નાખે. લોહી ભરેલે કપડે કૃષ્ણ રંગભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે સૌને કૃણ જુદા જુદા રૂપે દેખાવા લાગ્યા. છેવટે ચાણુર-મુષ્ટિકનું મરણું