SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ મારવા ન જોઈએ, કારણુ તું મારા નાનેરા ભાઈ છે. પણ તેં મારા જીગરજાન શિશુપાલ જેવા સાથીઓને મારી નાખ્યા અને મને સુધ્ધાં મારી નાખવાને પ્રરાદે તું અહીં આવ્યા છે, એટલે મારે તને ન છૂટકે મારવા પડે છે. જો, આ ગદા જો. તે તારા ભુક્કા કરી નાખશે. ભલે તું સગે રહ્યો, જેમ રંગ પાતા વિષે રહ્યો હૈાય તેય તેને હટાવ્યા વિના ચાલતું નથી, તેમ તું પણ રાગ જેવા દુશ્મન છે, એથી તને મારી નાખ્યા વિના મારા છૂટા જ નથી, કારણ તે સિવાય મારા પ્રિયમિત્રા તરફનું મારું ઋણુ હું ફેડી નહીં શકું.' એમ ખાલી જોરથી ગદ્દાપ્રહાર કર્યાં પણુ ભગવાન કૃષ્ણ તા જેવા હતા, તેવા જ ટટ્ટાર રહી શકથા ! અને પેાતાની કોમૈક્કી નામની ગદા જંતુવકત્રના વક્ષસ્થળ પર મારી. તે ગદા એવી તા એરથી લાગી કે દંતકવકત્રનું કાળજુ જ ફાટી ગયું...તેના મેઢામાંથી લાહીની ઊલટીએ થવા લાગી, એના વાળ વીખરાઈ ગયા, હાથ અને પગ પશુ ફેલાઈ ચૂકયા અને ધરતી પર ચત્તોપાટ પડી ગયેા. તેમ જ શિશુપાલના મૃત્યુ સમયે જેમ થયું હતું, તેમ એના મૃત શરીરમાંથી એક અત્યંત સુમ, જ્ગ્યાતિ નીકળી અને એક વિચિત્ર રીતે ભગવાન શ્રીકૃષ્ણમાં જ સમાઇ ગઇ ! આ વખતે ક્રેધથી લાલઘૂમ થઈ એ મરનારને ભાઈ વિદુરથ પેાતાના ભાઇના બદલેા વાળવા ઢાલ તલવાર લઈને સામે દે।ડચો. તરત ભગવાન સમજી ગયા કે આ પેાતાને મારવા આવી રહ્યો છે, કૃષ્ણે તરત કુંડલ અને મુકુટ સાથેનું આખું તેનું માથું જ ધડથી અળગું કરી નાખ્યું ! આમ ખીન્દ્ર કાઈથી પશુ મારા અશકય એવા શાસ્ત્રન એના વિમાન અને મિત્રા (૧) સૌભ (ર) દંતવકત્ર અને (૩) વિદુરથ આદિ સહિત માર્યા પછી જ દ્વારિકાપુરીમાં પ્રવેશ કર્યો. ત્યાં ઋષિમુનિ, દેવ-દાનવ, સિદ્ધ-ગધવ, વિદ્યાધર અને વાસુકિ વગેરે મહાનાગે એ વિજયની સ્તુતિ ગાતા હતા અને દેવા તથા સરાએ આકાશ ઉપરથી ફૂલા પશુ વેરી રહ્યાં હતાં ! ! !
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy