SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ રુકિમણીના અહંકારનું મન ઉષતિ મનુષ્યદેહી પ્રભુ કૃષ્ણે કાદિ, રુકિમણી જેવી પટરાણીએની; ભૂલા ભુલાવા પ્રણય-પ્રણાલિ, વિવિધ યારે સુગૃહસ્થતાથી. અનુષ્ટુપ સ્વસ’બધી તણા દાષા, રડાવી કાઢવા પડે; કટુ ઔષધને પાઈ, રાગે! મટાડવા પડે. ૧. બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “દેવરાજ ઇંદ્રે ભગવાનની અને સત્યભામાજી બન્નેની પૂજા કરી લીધી. ભગવાને અદિતિનાં કુંડલા દેવરાજને સાંપી દીધાં. પરંતુ કલ્પવૃક્ષને ભગવાને સત્યભામાજીના ખાગમાં લગાવવા ઈછ્યુ. સ્વાથી ઇંદ્રે પેાતાનું કામ હતું ત્યાં લગી તે પ્રભુનાં ચરણ સ્પર્ધ્ય પણ સ્વાર્થ સર્યા બાદ કલ્પવૃક્ષ માટે ભગવાનની ઈચ્છા પૂરી ન કરી અને લડાઈ છેડી. આખરે ભગવાને નતે લડીને દેવેને જીતી એ ઇચ્છા પૂરી કરી. ખરેખર સ્વામય જગત છે. ગરુડ પર ભગવાન અને સત્યભામા બન્નેય દ્વારિકાનગરીમાં પાછાં આવ્યાં. ભગવાને સત્યભામાજીના ભાગમાં કલ્પવૃક્ષ વૈપ્યું એથી સત્યભામાજીને બગીચા ખૂબ ખૂબ દીપી ઊઠ્યો, હુવે પેલી ચાહનારી દરેક રાજકુમારી સાથે પે।તે અલગ અલગ વ્યક્તિરૂપે અનેક થઈ ભગવાને વિધિવત્ લગ્ન કરી લીધાં! આ રીતે ભગવાનની પત્નીઓની સંખ્યા સેાળ હાર અને એકસે આની થઈ. તેમાં રુક્મિણી,
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy