SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ આમ, હજ તે ભગવાન શ્રીકoણ વિચાર કરતા હતા તેવામાં જ ઉપર આકાશમાંથી સૂર્ય સમાન ચમકતા એવા બે રથ આવી પહોંચ્યા, જેમાં યુદ્ધની સારીયે સામગ્રી સુસજિજત હતી. બસ, એ જ સમયે ભગવાન કૃષ્ણનું દિવ્ય અને સનાતન એવું આયુધ પણ હાજર થઈ ગયું ! એ બધું એકીસાથે જોઈને ભગવાન કૃષ્ણ પિતાના મોટાભાઈ બલરામજીને ઉદ્દેશીને કહ્યું : “મોટાભાઈ! આપ મહાન શક્તિશાળી છો, યદુવંશનાં નાનાં-મોટાં સૌ આપના ઉપર જ મીટ માંડી રહેલ છે અને આજે આખાયે યદુવંશ ઉપર આપત્તિને ગંજ ખડકાઈ ગયો છે. જુઓ, આ આપનો રથ છે અને આ આપનું પરમ પ્યારુ આયુધ(શસ્ત્ર) હળમુસળ પણ આવી પહોંચેલ છે. હવે આપ રથ પર સવારી કરી આ મહાન શત્રુસેનાને નિવારી નાખો, અને આપણું સ્વજનેને આ મહાન વિપત્તિથી ઉગારી લે. મારા ભાઈ ! આપણું બનેને જન્મ સાધુજનોના કલ્યાણ માટે જ થયો છે. માટે આ ત્રેવીસેય અક્ષૌહિણી સેનાને જીતીને આ પૃથ્વી પરના વિપુલ ભારને તરત ને તરત નષ્ટ કરી નાખે. આમ, એ બંને ભાઈઓએ સંતલસ કરી. કવચ ધારણ કરી રથ પર સવાર થઈને તે મથુરામાંથી નીકળી પડ્યા. તે બંને ભાઈઓ પાસે પોતપોતાને લગતાં આયુધે-હથિયારે તો ઉત્તમ હતાં જ, ઉપરાંત સાથે સાથે નાની છતાં મહાકુશલ સેના પણ ચાલી રહી હતી. એમને રથ હાંકનાર દારુક સારથિ પિતે જ હતે. નગરની બહાર નીકળી ભગવાન શ્રીકૃષ્ણ પિતાને પાંચજન્ય શંખ વગાડયો. આ શંખનાદ સાંભળતાં જ આ જરાસંધની ભગીરથ સેનાના તો હાંજા જ ગગડી ગયા! પણ મિથ્યાભિમાની જરાસંધ તે વધુ ભુરા થઈ બેલી ઊઠો : “અરે, અલ્યા કૃષ્ણ ! તું તે એકલે બચી ગયો છે. નર્યા એકલા તારી સાથે મારે યુદ્ધ નથી કરવું, કારણ કે તું તે તારા સગા મામાને હત્યારો છે અને છુપાઈ છુપાઈને
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy