SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૭ કરતા હતા. અક્રૂરજીને કુન્તીજી તથા વિદુરજીએ એ ખતાવ્યું કે ધૃતરાષ્ટ્રના છે.કરા દુર્ગંધન વગેરે પાંડવાનાં પ્રભાવ, શસ્ત્રકૌશલ, વીરતા તથા વિનય આદિ સદ્ગુણા જોઈ જોઈ તેઓ પાંડવાથી બળ્યા કરે છે. કૌરવ! જ્યારે એ જુએ છે કે પ્રજાપ્રેમ તા પાંડવે ભણી જ છે, ત્યારે તેા તેએ ખૂબ ચિડાઈ જાય છે અને પાંડવેનું ઝેક્ટ અનિષ્ટ કરવા માટે તૈયાર થઈ જાય છે. આજ લગી દુર્ગંધન આદિ કૌરવ ભાઈએએ ઘણી વાર વિષદાન વગેરે અત્યાચારી ગુર્જાર્યો છે અને હજુ પણ ઘણા અત્યાચારી કરવા તત્પર રહે છે. આમ એ લાકાએ કહ્યું ત્યારે એકદા કુંતીજીને ઘેર શ્રી અક્રૂરજી જાતે આવી પહોંચ્યા. તે વખતે કુ તીજી ઊઠીને તેમની (અક્રૂરજીની) જ પડખે બેસી ગયાં. પહેલાં તા કુંતીજીના મનમાં અક્રૂરજીને જોઈને પેાતાના માહયરની યાદ તાજી થઈ ગઈ અને આંખામાં આંસુ પણ ભરાઈ આવ્યાં. કુંતીજી ખેાલ્યાં : વહાલા ભાઈ ! શું કાઈ કાઈ વખત મારાં માબાપ, ભાઈબહેન, ભત્રીજાએ, કુળની સ્ત્રીઓ અને સખી–સાહેલીએ મને યાદ કરે છે? મેં સાંભળ્યું છે કે અમારા ભત્રીજાએ ભગવાન કૃષ્ણ અને કમલનયન એવા ખલરામજી ખૂબ જ ભકતવત્સલ અને શરણાગત—રક્ષક બની ચૂકયા છે. શું કાઈ વખત તેઓ પેાતાના ફાઈઆઈ (Žઆઈ) ભાઇએ (એટલે કે મારા દીકરાઓ)ને યાદ કરે છે? હું આજે શત્રુઓની વચ્ચે શાકવ્યાકુલ થઈ રહી છું. મારી તે જ દશા છે જેમ કાઈ વરુએની વચ્ચે હરણી પડી ગઈ હોય! મારાં બાળકો નબાપાં થઈ ગયાં છે! શું અમારા એ શ્રીકૃષ્ણજી કાઈ વખત અહીં આવીને મને અને મારાં અનાથ બાળકને સાત્ત્વન આપશે ? હિમ્મત બધાવશે?’ પછી જાણે શ્રીકૃષ્ણ પેાતાની સામે હેાય તે જ રીતે કુંતીજી ખેલ્યાં : ‘તમારાથી શું અમારું કષ્ટ છાનું છે? વળી તમે બચપણમાં પણ ગાપગાપીઓનાં વ્રજમાં કેવાં માટાં મોટાં કષ્ટ કાપ્યાં છે ! તે મારી રક્ષા કાં કરતા નથી ?’
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy