SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ સેવા કરવા ક્યા શિષ્ય ટુંકા થાભે છે? ગાર પણ દક્ષિણા મળી કે તરત ચાલતી પ્રકડે છે. પુ ંખી પડ્યુ જ્યારે વૃક્ષ પર ફળ નથી રહેતાં કે તરત કશું જોયાવિચાર્યા વગર ઊડી જ જાય છે. ભેાજન કર્યા બાદ અતિથિ ઘરધણી તરફ કારે જુએ છે? વનમાં આગ લાગે કે તરત પશુએ ભાગી જાય છે ! અહીં સ્ત્રીના હૃદયમાં ગમે તેટલી આસક્તિ ઢાય, પશુ વ્યભિચારી પુરુષ પાતાનું કામ પત્યું કે પછી સામુંય કયાં ઝુએ છે? હે ઉદ્ધવજી ! સંસારના પ્રેમસંબંધ આવા સ્વાથી જ હાય છે.' પરીક્ષિત ! ગોપીઓનાં મન, વાણી અને શરીર ત્રણેય શ્રીકૃષ્ણમાં તન્મય હતાં, તેથી તે અત્યારે ઉદ્ધવજી શ્રીકૃષ્ણના દૂત બનીને વ્રજમાં પધાર્યા છે; તે। એમની સાથે કઈ રીતે વાત કરવી, તે આ બધી વાર્તા કહેતાં કહેતા ખરેખર સાવ ભૂલી જ ગઈ ! શ્રીકૃષ્ણ ભગવાને બચપણથી માંડીને કિશાર અવસ્થા લગી જે લીલાએ કરેલી, તે બધીયને યાદ કરીને પીએ ભગવાનનાં ગીત ગાવા લાગી ગઈ ! એ ગેાપીએના હૃદયમાં એક એક કરીને જેટલી પણ સ્મૃતિએ નગતી હતી, તેટલી રાવડાવ્યા વિના રહેતી જ નહીં. તે ભાન ભૂલીને સ્ત્રીસુલભ લાજ પણ ચૂકી જ ગઈ અને જોરજોરથી રડવા લાગી ગઈ. એક જ્ઞાપીને એ સમયે શ્રીકૃષ્ણમિલનની લીલાનું સ્મરણ થઈ રહ્યું હતું. એ જ સમયે એ ગેપીએ જોયું કે પાસે જ એક ભમરા ગણગણી રહ્યો છે. તે પરથી એ એમ સમજી બેઠી કે ભગવાન કૃષ્ણને મન હું રૂઠી ગઈ છું એમ માનીને મને મનાવવા માટે જ એમણે રખે આ પેાતાને દૂત મેક્લ્યા હાય ! એ રીતે ગેાપી પેલા ભમરાને અનેક પ્રકારે પેાતાના સ્વામી શ્રીકૃષ્ણને જાણે ઠપકા આપતી ખેાલતી છેવટે કહે છેઃ અરે પ્યારા ભ્રમર ! અમને એ તા કહે કે અમારા પરમ પતિદેવ અગરુ સમાન દિવ્ય સૃગ વાળી એમની ભુજ અમારા માથા ઉપર મૂકે એવા શુભ અવસર હવે પછી આવશે કે નહીં ? ન, યોાદા, ગાવાળા અને અમ ગેપીરૂપ દાસીઓને કયારે પણ યાદ કરે છે?
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy