SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ૩ બેસી ગયા. મિત્ર અને ખંડિયા નાનામોટા રાજ પણ પોતપોતાના નિશ્ચિત સ્થાને બેસી ગયા. કંસ રાજા નાનામોટા રાજ બેઠેલા તે બધાની વચ્ચે વચ્ચે પોતાના મંત્રીઓ સાથે જઈ બધાથી ઊંચેરા કોષ્ઠ રાજસિંહાસન પર જ જઈ બેઠે. એ સમયે પણ અપશુકનને કારણે કંસનું ચિત્ત તે ખૂબ ગભરાયેલું હતું જ. આ જ વખતે પહેલવાનના તાલ (જાંઘ) ઠોકવાની સાથોસાથ વાજાં વાગવા લાગ્યાં અને ગર્વિષ્ઠ પહેલવાનો ખૂબ બનીઠનીને તરત પિતા પોતાના ઉસ્તાદની સાથે અખાડામાં ઊતરી આવ્યા. ચાણુર, મુષ્ટિક, કૂટ, શલ અને તોશલ વગેરે જે સૌથી શ્રેષ્ઠ પહેલવાને હતા તેઓ વાજાંઓના મીઠા મધુર અવાજેથી પ્રેત્સાહિત થઈને અખાડામાં આવી આવીને બેસી ગયા. બસ, એ જ વખતે ભોજરાજ કંસે નંદ વગેરે ગોવાળિયાઓને ત્યાં આમંત્રી લીધા. એ બધા ગોવાળિયાઓએ જુદા જુદા પ્રકારની વ્રજથી લાવેલી ભેટ આપી અને પછી તે બધા મંચ ઉપર જઈને પિતપોતાના સ્થાને બેસી ગયા.” કે સવધ વૈશાચિક અને વૃત્તિ, પશુમાં સંગદોષથી; સંગગુણે થતી તેમ મર્યતા દિવ્યતા તહીં, ૧ ખુદ પ્રભુ તણા સંગે, દશા જે થાય તે ભલી, જિવાડે કે પ્રભુ મારે તારવા કાજ ભાવથી. ૨ શુકદેવજી બોલ્યા : “પરીક્ષિતજી ! ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી શૌચ આદિ કામને લીધે જરા મોડા પડયા હતા. નંદબાબાની સાથે તેઓ અખાડાવાળી એ રંગભૂમિ પર આવ્યા પ્ર. ૨૮
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy