SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ કૃષ્ણ અને બલરામની આજ્ઞાને અવગણીને ઘણો મોટો અપરાધ કર્યો છે. ભલે તેઓ દેહધારી રૂપે હોય, પણ મૂળે તો તેઓ પ્રભુ છે–પરમાત્મા છે. આપણે ગાયત્રી મંત્રો, પાઠ અને યજ્ઞ તે બહુ કર્યા, પણ ઈશ્વરાર્પણ ન હોય, તે નકામું જ. આપણને કરોડે કરોડો ધિક્કાર છે! આપણે ચા કુળમાં જગ્યા, યજ્ઞપ્રવીણ પણ થયા, પરંતુ માયામેહમાં તે વધુ ફસાયેલા છીએ. આપણા કરતાં તો આપણી સ્ત્રીઓ ઘણું આગળ છે. કારણ કે વિદ્યા જાણવી કે ન જાણવી, યજ્ઞાદિ, જાપાદિ કરવા કે ન કરવાં, એ બધું તો ઠીક, પણ ઈશ્વરને જાણ્યા વિનાનાં આ બધાં નિરર્થક જ છે ! જગતના મનુષ્યો આપણને ભલે ગુરુ માને પણ આપણે તે ગુરુપદમાં સરાસર નિષ્ફળ જ નીવડ્યા છીએ. સારું થયું. ભગવાને ગોવાળિયા–બાળકને મેલી અત્યંત કૃપા કરી આપણને ચેતવ્યા. આપણે તે મૂર્ખઓ યદુવંશીએમાં અવતરેલા ભગવાન કૃષ્ણને અત્યાર લગી સાંભળ્યા હતા, પણ ખરે વખત આવ્યો ત્યારે સાવ ભૂલી જ ગયા ! એ રીતે આપણે સદ્ભાગી ગણાઈએ કે આપણને આવી મહાન પત્નીએ મળી. હે પ્રભુ ! અમને ક્ષમા કરે.” પરીક્ષિતજી! આમ, પસ્તાવો તે પૂરેપૂરો અને દિલથી કર્યો. પણ બ્રાહ્મણ પત્નીઓ જેમ પ્રભુ પાસે પહોંચી ગયેલી, તેમ બ્રાહ્મણો ખુદ ભગવાન પાસે પહોંચી શક્યા નહીં. આમ, ભગવાન વ્રજમાં સ્ત્રી વ્રજવાસી ગોવાળિયા-કુટુંબોની ખરેખાત સેવા બજાવતા હતા, તેમને નિર્ભય બનાવતા હતા. એક વાર વૃંદાવનના આ બધા ગોવાળિયાઓ ઈ-યજ્ઞની તૈયારી કરી રહ્યા હતા. એક દિવસ ભગવાન કૃષ્ણ નંદબાબાને ખાસ પૂછ્યું : “હું બાબા ! જે કર્મ પ્રમાણે જ ફળ મળે છે, તે ઈંદ્રયાની જરૂર શાથી? ખરી રીતે તે ગાય એ જ આપણું જન્મજાત સેવા પાત્ર અને પૂજાપાત્ર છે! એટલે ગાયે, ગુરુઓ અને ગિરિરાજ ને જ પૂછએ. ભગવાન ઇરછતા હતા કે ઇંદનું વધી ગયેલું અભિમાન ચૂરેચૂરા થઈ જાય. સદભાગ્યે નંદબાબા અને ગોવાળિયાઓને પણ એમની (ભગ
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy