SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ રહે જ છે. તેથી આપનું એક નામ પણ શેષ' કહેવાય છે. કાળ ત્યાદિ તે આપની લીલામાત્ર છે. આપ સશક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રયસ્થાન છે. આથી હું આપનું શરણું લઉં છું. મા જીવ કાંય અભય થયેા નથી. આજે બહુ ભાગ્યને કારણે આ જીવને આપનું ચરણ-શરણુ મળી ગયું છે, જેથી તે હવે સુખેથી સૂઈ શકશે. ખીજાની તે! વાત જ શી કરવી, પણ ખુદ મૃત્યુ પણ ડરીને ભાગી ગયું છે ! આ કૌંસ મહા દુષ્ટ અને ભયંકર છે, તેનાથી આપ અમારી રક્ષા કરશે! જ, આપનું આ ચતુર્ભુજ દિવ્યરૂપ માત્ર ધ્યાનની વસ્તુ છે. એને આપ દેહાભિમાન જીવેાની સામે પ્રગટ ન કરી. મધુસૂદન ! આ પાપી કસને એ ખ્યાલ ન આવવા જોઈએ કે આપના જન્મ મારા ગર્ભથી થયા છે. આપ આપનું એ સ્વરૂપ આટાપી સામાન્ય બાળકનું રૂપ ધરી લે.’ ભગવાન ખુદ ખાલ્યા ‘સ્વાયંભુવ મન્વંતરમાં જ્યારે તમારા પ્રથમ જન્મ થયેલા ત્યારે તમારું નામ પ્રશ્ન અને આ વસુદેવ તપ નામના પ્રશ્નપતિ હતા. તમારા બન્નેનાં હૃદય પરમ વિશુદ્ધ છે, તેથી બ્રહ્માજી તરફથી આપ અનેને ગર્ભ ધારણ કરવાની આજ્ઞા મળી. ત્યારે તમે બન્ને જણે ઇંદ્રિયેનું દમન કરીને ઉત્કૃષ્ટ તપસ્યા કરી. તમેા બન્નેએ વર્ષા, વાયુ, ગરમી, ઠંડી વગેરે કામના જુદા જુદા ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પેાતાના મનનેા મેલ ધોઈ નાખ્યા, શાંત ચિત્તથી મારી આરાધના કરી. તે વખતે હું તમે બન્ને પર પ્રસન્ન થયા હતા અને વરદાન માગવાનું મેં કહેલું. ત્યારે તમે બન્નેએ મારા સમાન પુત્ર માગ્યા. ત્યાં લગી તમારા બન્નેને ભાગે સાથે કોા સંબંધ પણ ન હતા, પશુ મે` વરદાન આપ્યું ત્યાર પછી તમે લેાકેા વિષય-ભાગ સંયમપૂક કરવા લાગ્યાં. એમાંથી હું તમે તેના પુત્ર થયો અને તે સમયે હું પ્રશિંગ નામથી વિખ્યાત થયું. પછી બીજા જન્મમાં તમે થયાં અદિતિ અને વસુદેવ થયા કસ્ય પ તે સમયે પણ હું તમારા બન્નેને પુત્ર થયા. તે સમયે મારું નામ
SR No.008083
Book TitleAbhinava Bhagawat Part 2
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy