SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કપ ભાગવતકાર ઇતિહાસનું વર્ણન કરતાં કરતાં શ્રીકૃષ્ણને કાદ સમય સુધી આવી પહોંચ્યા. એમણે દીવોદાસના વંશમા પદ અને દ્વપદનાં દ્રૌપદી અને ધૃષ્ટદ્યુનનું વર્ણન કર્યું. અજમઢના પુત્ર ઋક્ષ અને ક્ષના પુત્ર સંવરણ અને સૂર્ય પુત્રી તપતીથી કુરુ, એમ કુરુ વંશને આરંભ થયે. કુરુને ચાર પુત્રો થયા ૧. ચેદિક તે ચેદિ દેશનો રાજા થ ૨, બૃહદ્રથન વંશ લાંબા ચાલે. જરાસંધ તેના પુત્ર થાય ૩. જહુનુને પ્રતીપ અને પ્રતાપને દેવાપિ, સંતન અને વાનિક નામે પુત્રો થયા ૪. ચોથા પુત્ર પરીક્ષિતને કંઈ સંતાન ન હતું. પ્રતીપપુત્ર દેવાપિ રાજ્ય છેડી ગાગે વિચર્યા. શાંતનુ રાજા થયા. શંતનું રાજાને ગંગાજીથી નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીમ જન્મેલા અને માછીરાજની કન્યા સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામના બે પુત્રો થયા. આ જ સત્યવતીથી પારાશર મુનિ દ્વારા દ્વૈપાયન વ્યાસજીનો જન્મ થયો હતો. માતા સત્યવતીના કહેવાથી વ્યાસજીએ પિતાના સંતાનવિહીન મરેલા ભાઈ વિચિત્રવીર્યની પત્નીઓથી ધૃતરાષ્ટ અને પાંડુ નામના બે પુત્ર જન્માવ્યા અને તેમની દારથી વિદુરજી થયા. ધૃતરાષ્ટ્રને ગાંધારીથી સે પુત્ર થયા. પાંડુને કુંતીથી ધર્મ, વાયુ ને ઈદ્ર દ્વારા અનુક્રમે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન થયા અને બીજી પત્ની માદ્રીને અશ્વિનીકુમાર દ્વારા સહદેવ ને નકુલ યા. આ પાંચ પાંડવો દ્વારા દ્રૌપદીને પાંચ પુત્રો થયા. આ સિવાય પાંડવોને પ્રત્યેકને પરિણીત પત્નીથી પુત્ર થયા હતા. અર્જુનને સુભદ્રા નામની પત્નીથી અભિમન્યુ થયા એ અભિમન્યુની પત્ની ઉત્તરાની કૂખે પરીક્ષિત થયા હતા, પણ બ્રહ્માસ્ત્રથી બળી ગયેલા. ભગવાન કૃષ્ણના પ્રભાવથી ભસ્મીભૂત કાવામાંથી એ જીવતા જાગતા નીકળી આવ્યા. આમ કુરુક્ષેત્રની લડાઈમાં પરસ્પરના અસ્ત્ર-શોના યુદ્ધથી ઘણા વંશે નાશ પામ્યા. ભગવાન શ્રીકૃષ્ણ આથી જ બાળપણમાં જે મધુરાદ્વૈતનો પ્રેમરસ પીધે હતો તેનું ભરયુદ્ધ વચ્ચે અજુનને ગીતા દ્વારા પાન કરાવ્યું, અને વિભૂતિ અને વિરાટદર્શન દ્વારા માનવ
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy