SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ ગાધિને પરમ તેજસ્વી પુત્ર વિશ્વામિત્ર થયા. એમણે ઘણું તપ કરીને તપોબળથી બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યું. એમણે માનવમાત્ર સાથે ભાવાત્મક એકતા સાધતે વિશ્વમૈત્રીને આદર્શ આપી સર્વ સાથે એકતાને સેતુ રચતો વિશ્વમેત્રી યજ્ઞ કર્યો, જે શ્રીરામચંદ્ર પાર પાડો. હરિશ્ચંદ્ર રામ નવમેધ યજ્ઞમાં હેમવા શુનઃશેપને લાવેલા. વિશ્વામિત્રે વરુણદિની સ્તુતિ કરી તેને પાશ બંધનમાંથી મુક્ત કર્યો અને નરમેધ યજ્ઞની પ્રથા પણ બંધ કરાવી. એટલું જ નહીં પણ પિતાના સો પુત્રને તેમણે શુનઃશેપને પિતાના મોટાભાઈ તરીકે સ્વીકારવાની આજ્ઞા કરી. તેમાંથી મોટી વયને પચાસ પુત્રોએ શુનઃશેપને મોટાભાઈ તરીકે સ્વીકારવાની ના કહી. વિશ્વામિત્રે તેમને મલેર૭ ગણ્યા અને મધુર છંદાએ પિતાથી નાના ૪૯ ભાઈઓ સાથે મંત્રદૃષ્ટા શેપને સ્વીકાર્યા. તે બધા મધુજીંદા નામે મશહૂર થયા. આમ વિશ્વામિત્રે વણુ કે વયના ભેદ વિના માનવમાત્રને મિત્ર માની સર્વ સાથે મૈત્રીને મંત્ર આપી ભારતમાં રહેલા વિધવિધ વર્ણવિચાર અને વ્યવસ્થાવાળાને નાળાના મણકાની જેમ એક ભાવનાના સૂત્ર પરોવવાનું મહાકાય શ્રીરામ દ્વારા પાર પાડવું. નહુષ ને યયાતિનું પતન પુરૂરવાના એક પુત્રનું નામ આપ્યું હતું. તેના વંશમાં ગુત્સમદ, ઋદમાં શ્રેષ્ઠ શૌનકજી, આયુર્વેદ પ્રવર્તક ધવંતરિ અને નહુષ જેવાં નરર થયાં. નહુષ રાજાએ ઈદ્રપદ પ્રાપ્ત કરી ઇદ્રની પત્ની શચીનો સહવાસ કરવા ચેષ્ટા કરી, તેથી બ્રાહ્મણોએ તેને ઈદ્રપદથી ભ્રષ્ટ કરી અજગર બનાવી દીધો. ત્યારથી રાજયપદ પર યયાતિ બેઠે. માટે જ કહ્યું છે સત્તા જીરવવી એ તે, ભારે કઠિન કામ છે. એવું જ વાસનાનું છે. ના જીતે તે નીચે પડે. (પા. ૨૮૦)
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy