SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ જમદગ્નિ થયા. જમદગ્નિપુત્ર પરશુરામ ન્યાયની સ્થાપના માટે સત્તાધ અને કર હૈહય વંશને અંત લાવવા એકવીસ વાર પૃથ્વી નક્ષત્રી કરી. અંતે શ્રીરામચંદ્ર સાથે યુદ્ધ કરવા તૈયાર થયા ત્યારે રામના વિયે, નમ્રતાએ, શૌર્ય અને પ્રેમે તેમને જીતી લીધા. પરિણામે સમાજને રોજી, રાટી અને ન્યાય મળ્યા કરે તેવી ધર્મ વ્યવસ્થા માટે એકાગ્ર થયા; કેમ કે અંતે નક્કી થયું એ કે, અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે; સત્ય જ છે અહિસાને, આત્મા અમૂલ્ય આ જગે(પા.૨૬૯) રોજી રોટી તથા ન્યાય, પામે મત્સ્ય પૂરેપૂરાં; તે રક્ષાય અહિંસાને, સત્ય બનેય સેજમાં. દ્રવ્યભાવે અહિંસા જે, વ્યક્તિ સમાજ આચરે, તે ધાર્મિક બને વિશ્વ, વાતાવરણ આખું. (પા. ર૭૧) ન્યાય-સંસ્થાપન માટે પરશુરામે પ્રારંભમાં ઘેર-હિંસાથી ક્ષત્રિય વિનાની પુત્રી કરવા પ્રયત્ન કર્યો. રામચંદ્રના મિલન પછી એમણે ધર્મય વાતાવરણ રચવા પ્રયત્ન કર્યો. ક્ષત્રિય-પુત્રી સાથે લગ્ન કરી બેય વચ્ચે વેરને સ્થાને સુમેળ સા અને ધર્મની લગામ સંતો ને દિના હાથમાં રહે તેવી વ્યવસ્થા કરી; કેમ કે લગામ સર્વ ધર્મોની, રહે સંત દિને કને, વ્યક્તિ સમાજ સર્વત્ર, અહિંસાધર્મ આચરે. (પા. ર૭૦) સાથોસાથ પરશુરામે બ્રહ્મક્ષાત્ર સમાજ ઊભો કરી એવું દષ્ટાંત રજૂ કર્યું કે ને જે વેર-વસુલાત, રાગ્નિ ન શમતે યદિ; તો સાટું વૈરનું લેવા, કેઈ ના મથશે કદી. (પા. ર૭૫) વિશ્વરૂપને વિશ્વમૈત્રીયજ્ઞ જન્મ વર્ણ ગમે તે હે, બ્રહ્મતેજ પમાય છે; માત્ર ગુણે તપે ત્યાગે, માટે સૌ જાય તે પંથે. (પા. ર૭૮)
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy