SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ३७ ઈરાકુવંશનાં નરરત્નોમાં નિમિરાજા થયા, જેણે દેહમાત્રને બંધન ગણ દેહાધ્યાસ છોડી દીધો હતો અને દેહ પણ છેડવા છતા હતા. તેમને સજીવન કરી રાજ્ય કરે તેમ લેકે દેવોને પ્રાર્થતા હતા. છેવટે દેએ પ્રાણીમાત્રની આંખોમાં ઇરછાનુસાર નિવાસ કરી પ્રભુચિતન કરતા રહે તેવી વ્યવસ્થા ગોઠવી. તેમના શરીરનું મંથન કરી દેહ એટલે જનક રાજાને પ્રગટ કર્યા. તે વંશના બધા રાજ દેહ છતાં વિદેહી કહેવાયા. તેઓ નિરાશકત, બ્રહ્મજ્ઞ, અને શાસ્ત્ર તથા પ્રજાનું પાલન કરનાર હતા તેથી યાજ્ઞવલ્ક્ય આદિ ઋષિજને અને બ્રહ્મજ્ઞાની ગુરુજનેની સદા તેમના પર કૃપા રહી હતી. સીતાજી એ જ વિદેહવંશી જનકરાજાનાં પુત્રી હોવાથી તે વૈદેહી પણ કહેવાય છે. આમ સૂર્યવંશનાં મનુ, શર્યાતિ, સુકન્યા, ઇવાકુ, માધાંતા, દિલીપ, હરિશ્ચંદ્ર, રઘુ, અજ અને શ્રીરામ તથા નિમિ અને જનક વિદેહી જેવાં નરરતનો સંક્ષેપે ખ્યાન આપી ભાગવતકાર ચંદ્રવંશનું વર્ણન કરી સુર્યવંશના અવતારી ભગવાન રામની જેમ જ ચંદ્રવંશના પૂર્ણાવતારી કૃષ્ણચંદ્રના યદુવંશને વર્ણવી નવમે સ્કંધ પૂરે કરે છે ચંદ્રવંશના પરાક્રમી પુરુષે સૂર્યવંશનાં પ્રતાપ, પવિત્ર અને વચનપાલક નરરત્નો અને ભગવાન રામ જેવા યુવાવતારીને ઈતિહાસ કહી હવે શુકદેવજી ચંદ્રવંશને ઈતિહાસ કહે છે. વિરાટપુરુષ એવા નારાયણના નાભિકમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીના પુત્ર અત્રિ મહર્ષિજીની આંખમાંથી અમૃતમય ચંદ્રમા જમ્યા. ચંદ્ર બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કર્યું. તેને ઠપકે દેવાને બદલે શુક્રાચાર્યે ચંદ્રને પક્ષ લીધે તેથી અસુરો પણ ચંદ્રના પક્ષમાં આવ્યા. મહાદેવજી અને ઈજે બહતિને પક્ષ લીધે. તેથી દેવ-અસુર સંગ્રામ તીવ્ર બન્યો. અંગિરાજીએ બ્રહ્માને સંગ્રામ બંધ કરાવવા વિનંતી કરી. બ્રહ્માજીએ
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy