SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ વિભોરતાથી શકુંતલા મહારાણપણે અને ભરત મહારાજ કુમારપણે વિકસવા લાગ્યાં.” ભરત ચક્રવતી જગે ભરતને જન્મ થયો દુષ્યતરાજથી; મહાકાર્યો સીઝજ્યાં તેનાં, આખરે તપત્યાગથી. ૧ સમને નથી દોષ, કેમ કે તેમનાં બધાં કાર્યો સ્વપર–શ્રેયાર્થે, એકેએક જ સીઝતાં. ૨ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “રાજા પરીક્ષિત ! પિતા દુષ્કતના મૃત્યુ પછી પરમ યશસ્વી બાળક ભરત ચક્રવતી સમ્રાટ થયો. એનો જન્મ જ ખુદ જગતપિતા ભગવાનના અંશથી થયો હતો. આથી આજ પણ સારી પૃથ્વી પર એનું મહિમાગીત પ્રેમથી ગવાય છે. એના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન હતું અને પગમાં કમલકેશનું ચિન કુદરતી હતું ! મહાભિષેકવિધિથી રાજાધિરાજના પદ પર એને અભિષેક થયો. ભરતની શક્તિ અપાર હતી. ભારતે મમતાના પુત્ર દીર્ઘતમા મુનિને પુરોહિત બનાવી ગંગાતટ પર ગંગાસાગરથી માંડીને ગંગાત્રી પર્યત પંચાવન જેટલા પવિત્ર અશ્વમેધ યજ્ઞ કર્યા. એ રીતે યમુનાતટ પર પણ પ્રયાગથી માંડી યમુનેત્રી લગી એણે અઠ્ઠોતેર અશ્વમેધ યજ્ઞ કર્યા. એ બધા યમાં અપાર ધનરાશિનું એણે દાન કરેલું. ભારતનું યજ્ઞસંબંધી અગ્નિસ્થાપન ઉત્તમ ગુણવાળા સ્થાનમાં થયેલું. ત્યાં ભરતે પ્રત્યેક બ્રાહ્મણને એક એક સુંદર ગાય અપેલી. આવા મહાયજ્ઞોથી આ લેકમાં તે રાજા ભરતને “પરમ યજ્ઞ” બિરુદ મળ્યું જ. અંતમાં એણે માયા પર પણ વિજય મેળવી લીધો અને દેવોના પરમ ગુરુ ભગવાન શ્રીહરિને પણ પ્રાપ્ત કરી
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy